SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ૦ ૦. શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર વિષય-કવાની કેટલી સતામણુ ભગવી રહ્યા છે? આ ભવનું જ જૂનું યાદ કરી કરીને કેટલા રાગ-દ્વેષ, કેટલા હર્ષ-શેક, કેટલા કુવિક અને દુર્યાન ઉભરાઈ આવે છે? ત્યારે શુ પૂર્વ જીવનનું યાદ આવશે તો એમાં વધારે નહિ ને ઘટાડે થશે? ખરી વાત એ છે કે તિસ્મરણથી શું, કે સીમંધર ભગવાન યા કે ઈ દેવ ભેટ્યાથી શું, એનાથી જે વૈરાગ્યવૃદ્ધિ, ક્યાયનિગ્રહ, અહંદુભક્તિને ઉછાળે, ધર્મની ધાંસ, વગેરે લાવવા ધારે છે, એ અત્યારથી જ કેળવવા લાગી. ના, એ કશું કરવું નથી ને ગાવું છે, શ્રી સીમંધર જગધણી ! આ ભરતે આવો. સયલ સંગ છેડી કરી ચારિત્ર લઈશું.” પણ અસત કલ્પનાએ માને કે એ આવી ગયા, તે પેલા ભવવૈરાગ્ય, કષાયનિગ્રહ, અતુલ અહંદુભક્તિ અને ધર્મની ધાંસ, કેળવ્યા નથી એટલે પછી બહાનાં કઢાશે કે, “શું કરૂં પ્રભુ તમે તે પધારી ગયા, પણ મારે ગગી પરણાવવી બાકી છે, કીક નાનો છે, કીકાની મને સંભાળનાર કેઈ નથી. કે મારા વિના એ રહી શકતી નથી, બીજા બધાને સમજાવવાના છે, દુકાનનું કામ અધુરું પડયું છે, ઉઘરાણી બાકી છે. કંઈક એઠાં ઉભા. કરાશે! ખબર નથી કે ઉઘરાણું પતશે કે હું પતી જઈશ? સંસારના કામ કેઈન પૂરા થયા છે? બીજાને સમજાવવાનું બહાનું કહું છું પણ મારું હૃદય પતે સમળ્યું છે ખરૂં? સમજ્યું હોય તે આ મમત્વ કરે ? વિશ્વાસઘાતી કાળનો વિશ્વાસ કરે ? માનું છું કે પત્ની મારા વિના રહી શકતી નથી તે કદાચ હું મરું તે રહે કે મરે? પણ ભવરાગ્ય વિના આ વિચાર ન આવે તે સીમંધર પ્રભુ માયાથી શે બહાર નિકળે? માટે, ખરું આ કરવા જેવું છે કે જાતિસ્મરણ, સીમંધર પ્રભુ કે દેવ મેળવવાના એરત કરવા સાથે આ કર કે એ જાતિસ્મરણ કે દેવ મુલાકાત વિના પણ વર્તમાનમાં મળતા શુભ આલંબન દ્વારા ભવવૈરાગ્યાદિ સાધતા જવાય. બાકી તે એર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy