SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર કે? ધનકુમારનો યશોધરમહર્ષિને પ્રશ્ન : સંસાર કે? પછી ગુરુમહારાજ પાસે એ બેઠો, ને સાચવીને પ્રશ્ન પૂછે છે-ભગવંત! આપને આ સંસાર પર અરુચિ ને વૈરાગ્ય થવાનું કારણ શું કે જેથી કામદેવ સરખી કાયા, ને સુખની મળેલી પુણ્યા, એ બધાને અવગણને આવે કઠેર ચારિત્ર્યમાર્ગ લીધે? આપની કામદેવ સરખી કાયા જ કહી રહી છે કે પુણ્ય જબરદસ્ત હશે! વિષયસુખ ભરપૂર માયાં હશે! તો એને આપે કેમ છોડી દીધાં? કૃપા કરીને ફરમાવે કે એવું શું કારણ મહ્યું કે કંટાળે આ સંસાર પર! પ્રશ્રની પાછળ ધનના હૃદયનું શું વલણ દેખાય છે? હૃદયની ઉત્તમતા કેવી દેખાય છે? ધનકુમાર મહાશ્રીમંત છે, પણ શ્રીમં. તાઈને એને કેફ નથી, એવી કઈ બહુમૂલ્યતા એની એને મન નથી, તેથી મહાત્યાગ પર આકર્ષાય છે. લક્ષ્મીને બહુ માનનારા માણસે ત્યાગ પર ઓવારી નહિ જાય. અથ અને કામ,વિષય, અને એનાં સાધન, એની લંપટતા તો ત્યાગધર્મને તુછ લેખાવે છે. ખોટી દયા કે ઠેકડી કરવાનું મન થાય કે “દેખાય છે રૂડારૂપાળા, પણ બિચારા કેઈ બાવા-જોગીની અડફેટે ચઢી ગયા લાગે છે!” આ કેવી વૃત્તિ બધું કહ્યું છે માટે ઉડાવે સેવામિષ્ટાન! બધું મહ્યું છે માટે કરે લીલાલહેર!” આ જ ને! આજે ધર્માત્માને જુનવાણું કહેનારા છે! સ્કૂલ-કોલેજમાં જનારા ગામડાની બાઈની મશ્કરી કરે છે ! કહે છે, “ગુલામડી દશામાં પડેલી ! માથું આમ ઢકે! ને કપડાં આમ પહેરે! વોટનન્સેન્સ! કેવું ધતિંગ!” આમ બેલે છે. ધનકુમાર યશેધરના વૈરાગ્યગુણ પર આકર્ષાઈ એ વૈરાગ્યની મહાકદર કરે છે, તે સતયુગની વાતે! આજે સામાના સદાચાર અને વૈરાગ્યના ગુણ પર ઠેકડી થાય છે, તે કળિયુગની વાત! ધનકુમાર કહે છે, “આપે ઉમદા કર્યું છે, પણ જરૂર કોઈ નિમિત્ત મહ્યું હશે અદ્ભુત, તે એ કૃપા કરીને જણાવો.” યશધર મુનિરાજ ઉત્તર કરે છે, “અરે! એકાતે કંટાળાનું કુલઘર એ આ સંસાર. એ સંસાર પરથી મન ઊઠી જવાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy