SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષતાઓ १७ આપણે એની પાછળ મુખ્યપણે આપણાં પાપદય કામ કરી રહ્યા છે?—એમ જોઈએ તો ખેદ સામા ઉપર નહિ, પરંતુ આપણું કર્મ ઉપર થશે. અરે! કમ પર પણ શે ખેદ? એથીય ઊંડા ઉતરે; જુએ, એનું પણ કારણ કેણુ? આપણે આત્મા. એણે હીન આચરણ કર્યા તેજ એવાં કમ નીપજ્યાં. એટલે મૂળ કારણું તો અધમ કૃત્યકારી મારે આત્મા જ છે. માટે જુગુપ્સા કરું તે મારી જાતની કરું. બીજા કેઈ પર ખેદ કરવાની જરૂર નથી. આમ લંબાણથી વિચારીશું તે જીવનના પ્રસંગમાં કંઈ કંઈ કારણે જડી આવશે. કારણ વિના કાર્ય બને જ નહિ, ને કારણથી અવશ્ય એ થાય. ત્યાં પછી આશ્ચય ખેદ કે હષ શા? પેલી રાણીએ ભેંસ ઉચકીને ઉપર ચઢાવી દીધાની વાતની ખબર છે ને? નાની પાડી હતી ત્યારથી એને રાણીએ રેજ ૨-૪ વાર ગરદન પર ઊંચકીને ઉપર ચઢાવવા માંડેલી; એમ પેલી મોટી ભેંસ થઇ તોય એને રેજના અભ્યાસથી ગરદન પર સહેલાઈથી ઊંચકી ચઢાવી દીધી, રાજ પાછળનું આ કારણ નહોતો જાણતા તેથી આ જોઈ આશ્ચર્ય પા; પરંતુ પછી રાણીએ ભેદ સમજાવતાં આશ્ચર્ય ઉતરી ગયું. બસ, આ વાત છે કે કારણને, કરણના કારણને, એના ય કારણને વિચાર કરવાથી આશ્ચર્ય-ખેદ-હર્ષના વિકારોથી બચી શકાય. યધરમુનિ આવા કે પદાર્થ સ્વભાવ કે કાર્યકારણભાવના તત્વજ્ઞાનવાળા હતા તેથી નિર્વિકાર બન્યા રહેતા. એટલે જ એમને કમને લેપ લાગતા નહે. વળી, ચોધરમહર્ષિ અઢાર હજાર શીલાંગ-રથના ગુણેના ધારક છે; અનેક મુનિઓથી પરિવરેલા છે. કેશલદેશના રાજા વિનયંધરના એ પુત્ર હતા. એમાંથી ભવરાગ્યની વૃદ્ધિએ શ્રમણસિંહ બનેલા છે. ' ધનકુમાર ઉદ્યાનમાં ગયેલો, એણે આમને જોયા, તેથી તેને આનંદ પ્રગટય અને ચિત્તમાં ધર્મવ્યવસાય સ્કૂરવા લાગ્યું. લાયક જીવને આવાં દર્શન પણ અમેદ-આનંદ પેદા કરનાર બને છે અને ધર્મભાવનાને જાગતી કરી દે છે. થશે ધરમહર્ષિને લેતાં ધનને વિચાર આવ્યો કે “અહે, શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy