SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાને ૨૪૭ સિક વ્યાકુળતા પ્રબળ રહેવાથી આત્મહિતની ત્રુટિઓનું કઈ સ્મરણ થતું નથી, કેઈ ખ્યાલ આવતો નથી; અને એ જે નહિ, તે તે એનું દિલમાં દર્દ ઊઠે જ શાનું? પગલિક ત્રુટિઓનાં દર્દ આત્મિક ગુટિઓના દર્દીને ઊઠવા દેતાં નથી. દિલને એમ વ્યાકુળતા રહ્યા કરતી હોય કે “મને પૈસા કયારે મળે ક્યારે મળે, કેવી રીતે મળે કેવી રીતે મળે.અથવા મળેલા પૈસા ઓછા કેમ ન થાય, કેમ ન થાય...એ કેવી રીતે સચવાઈ રહે. સચવાઈ રહે; વગેરે તે ત્યાં “મને ધમ કેમ મળે.કે મળેલ કેમ સચવાય ને વધે,” એ ઝંખના, એ રટણ ક્યાંથી આવે? એની મથામણ મનમાં કયાંથી ચાલે? એવું જ સેવાકારી આજ્ઞાંકિત અને પ્રેમાળ પરિવાર અને મનગમતા વિષયસુખ, વગેરેનાં જ આતંદયાન ચાલુ હોય ત્યાં આત્માનું હિત વિચારવા લક્ષ જ ક્યાં જાય? ઈષ્ટ સંયોગની તિઅરતિ વારેવારે જયાં પડતી હોય ત્યાં એ સંગ કેમ મળે, કેમ કે, કેમ ન જતા રહે, એની જ ચિન્તા રહ્યા કરવાની. એ તે હૃદય પર એ કાબૂ મૂકાય કે “આ રતિ-અરતિ, હર્ષઉગને મહત્યા ન કરવા દઉં, વારેવારે આ શુ કે જરા જરામાં ખુશી ને જરા જરામાં નાખુશી? કાંઈ નહિ, હવે તે સ્વસ્થ બનું, સ્થિર બનું, સ્થિતપ્રજ્ઞ બનું, મન-ગમતુ મળી આવે એમાં આનંદ માનું નહિ, પણ પુણ્યના ખેલ સમજુ, પુગલના નાચ ગણું અને આત્માની નિઃસત્વતા તથા બરબાદી સમજી ગંભીર બનું, ઉદાસીન બનું, જ્ઞાતા દ્રષ્ટા બનું, એવું જ અણગમતુ કાંઈક બની આવ્યું, એમાં પણ ઉદાસીનતા મધ્યસ્થભાવ, ને કેવળ નિરીક્ષકપણું રાખું;” તે રતિ-અરતિ અટકાવી આતંદયાનથી બચાય. જ્યાં મામુલી મામુલી પણ અનુકુળ પ્રતિકૂળ થઈ આવ્યું એમાં ખુશીખુશી ને ખિન્નવદન બનવું છે ત્યાં આdધયાન પૂઠે લાગી જાય છે. ત્યારે એ જુએ કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy