SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નાવલિની કપટજાળ ભાવ મેળા પડવાને બદલે મજબૂત થાય છે. જે માનવજીવનમાં વિષય કષાયના ભાવ મન્દ કરી નાખવાને અને એમ કરીને દીર્ઘ દુગતિ અને ભવભ્રમણ મિટાવવાને સેનેરી અવસર મળે છે તેમાં તેને ખરાબ ખસ્ત કરી નાખવાનું અને ભવ વેડફી નાખવાનું. થાય છે. એમ કરવું એ મહાન અવિવેક છે. વિવેક એ છે કે કષાય કે જે ખરેખર શત્રુ છે, એને કચડવા. એ માટે સામા પર દયા કરવી. શત્રુની સાચી ઓળખ - બહષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને શુ બતાડયુ? આ જ, કે “તમે તમારા ખરા શત્રને ઓળખે, ભરતને શું દુશ્મન દેખે છે? ભારત અને શ્રેષ કપાય તમારા અંતરમાં જાગે છે માટે તો ભરતને દુશ્મન દેગે છે, તમારી રાજ્યસંપત્તિ અને નકલી સ્વતંત્રતાના રાગ કષાયે તમને દબાવ્યા છે, તેથી તે ભારતને શત્રુ માને છે, પરંતુ જે એ આંતર કષાયશને હૈયામાં ઊભવા ન દે, તે ભરત દુશ્મન નહિ દેખાય. અગર તમે આંતર શત્રુને ઓળખી લે, એણે આજ સુધીમાં તમારી કેવી ઘેર વિટબણદુર્દશા કરી છે, અને અહી જે એને મહાલવા દીધા તે ઠેઠ એકેન્દ્રિયપણાથી માંડી અનેકાનેક યોનિઓ વટાવી યુગના યુગે વી મુશ્કેલીઓ પ્રાપ્ત થએલ માનવભવમાંથી એ કષાયટ્ટાએ તમને પાછા ઠેઠ એકેન્દ્રિયપણું સુધી કેવા ઘસડી જઈ શકે છે, એ દયાન પર લે, અને એથી જ હવે એને કચડવા-નિમૂલ કરવા કમર કસે, તે જે ભારતના પ્રત્યે એ ઊઠે છે, એ ભરતના પ્રત્યે ભાવકરુણું વહેવડાવવી પડશે. દિલમાં ભારત માટે કરુણા ઊભી કરે એટલે ભરત પ્રત્યે દ્વેષ ઓસરી જશે. એમ સંપત્તિ -સ્વતંત્રતા વગેરે પર રાગ અને અહંન્દુ વગેરે આંતર શત્રુને ચડવાનું કરશે તે ભરત શું, આખા વિશ્વમાં કેઈ દુશ્મન નહિ દેખાય.” ત્રિલેકનાથ જગગુરુ વીતરાગ સર્વજ્ઞ ભગવાન ઇષભદેવસ્વામીએ આ વિવેક આપે એના પર અઠ્ઠાણુ પુના દિલમાં જબરદસ્ત પલટો આવ્ય, આંતરશત્રુને કસવા કમર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy