SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી સમરાદિત્ય ) પધરમુનિ ચરિત્ર મરે છે. જેમાં, જીવની વાસના અને સંયમમાં આ પૂર્વ પશ્ચિમનાં અંતર હેય છે. જીવનની વાસના જ એવી છે કે એને જ્યાં ત્યાં ભટકાવે છે, ત્યારે વાસના પર સંયમ હોય છે તો તે પણ ત્રાસ આપનારો હેવા છતાં માં દે પડયે પણ સતીને સેવા કરવા પ્રેરે છે. હવે આમાં વધુ શે વિચાર કરો ? ને મારે હવે કયાં વધુ સંબંધ રાખવે છે? આજે નહિ, તો કાલે એને અને સમગ્ર સંસારને ત્યાગ કરી દે છે. માટે બહુ વિચાર કરવાથી સયું, એ કહે છે તેમ થવા દે.” આમ વિચાર કરીને એને મેં કહ્યું, “સુંદરી! તું તો મારા પ્રણથી અધિક છે. કહે, આજ સુધીમાં ક્યારે ય તારા સ્નેહ ગ, તારી પ્રાર્થનાને ભંગ કર્યો છે? તો આ તારી છેલ્લા પ્રાર્થનાને ભંગ શા સારુ કરું ?” સુરેન્દ્રદત્તે પત્નીને રાજી રાખવા એક દિવસ વિલંબ કરવાનું કબૂલ કરી લીધું. હવે એ નયનાવલિને ચિંતા થઈ કે “હવે શું કરવું? આ પતિ તે આજે નહિ ને કાલે ચારિત્ર તે લેશે જ, અને મારે કાંઈ ચારિત્ર લેવું નથી.” વિષરાગે ધર્મમાં કુચે મરવાનું લાગે છે – કેમ નથી લેવું? એટલા માટે કે મને કહે છે કે મનમાન્યા વિષયસુખે ભેગવવાનું મૂકી એ ચારિત્રમાં ચે કેણ મરે ? ધર્મમાં, તપમાં જપમાં કૂચે મરવાનું લાગે છે ! કેને? જેને વિષ પર આંધળે રાગ છે, ઈન્દ્રિયોની ખણુજના સુખાભાસમાં પાગલ છે, ખસ-ખરજવાના દરદીની જેમ સાચા સુખની બુદ્ધિ છે, ભ્રમ છે, એવાને ધર્મમાં ફચે મરવાનું લાગે છે. ઉપવાસઅબેલ કરવાં એટલે જાણે શેષાઈ જવાનું ! અને ખાવું એટલે જાણે લાભના સેદા ! હવે એ નથી ને ક્યારેક કાંક ધર્મ કરે તે શું સમજે? દાન દીધું એટલે જાણે કેથળી કાણી થઈ ! પિસા ગયા! પત્ની પિયર ગઈ અને બ્રહ્મચર્ય પાળવાનું મળ્યું એટલે મર્યા! એકાદ ઉપવાસ કર્યો તે જાણે શેર લેહી ગુમાયુ ! બસ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy