SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સહિષ્ણુતા અને સહનવૃત્તિ ૧૪૭ ગ્યતાની ડિગ્રી-કક્ષા વધારતા જાઓ તેમ તેમ ઉન્નતિ અને ગુણપ્રાપિત વધતી આવે. સ્વાતિ નક્ષત્રમાં છીપની યેગ્યતાને પ્રભાવ છે, વરસાદના બુંદને મેતી બનાવી દે છે. જાતિમાન ધેડાની યોગ્યતાને મહિમા છે કે થોડી પણ શિક્ષા એને ભારે હેશિયાર કરી દે છે. પાષાણુ જેવાની પણ યોગ્યતા ઉપર અદ્ભુત મૂર્તિ તૈયાર થાય છે. બસ, આત્મામાં યોગ્યતા વિકસાવે, એના પર અનુકૂળ સંગે મળતાં ભવ્ય નિર્માણ ઊભાં થશે. માટે કહે કે જેણે ગ્યતા ઘડી આપી એણે તે અજબ ઉપકાર કર્યો. પછી એના પર બીજા કેઈએ ઊંચાં સર્જન કરી આપ્યાં ત્યાં એના કરતાં પેલા યેગ્યતા ઘડનારા જરાય ઊતરતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખો. આવું બને છે કેટલીકવાર, કે કેઈએ વિદ્યા સારી ભણાવી તો એને ભારે ઉપકારક અને મહત્ત્વને મનાય છે, પણ યોગ્યતાના ઘડનાર માતા-પિતા કે ગુરુને મામૂલી ગણી લેવાય છે. આ બેઠું છે, કેમકે જો એમણે યેગ્યતા કેળવી વિનયી, વિવેકી, પરિશ્રમી, સારી વસ્તુને અથી વગેરે ન બનાવ્યો હત, તે ગમે તેટલા સારા પણ શિક્ષક પાસેથી શું લઈ શકત? ઉદ્ધતાઈ, અવિવેક, એદીપણું, અસતને પ્રેમ, વગેરેના લીધે તે ઊલટો શિક્ષકને સતાવત. તે શિક્ષકને સારુ આપવાનું મન જ ન રહેત. આજની લ– કેલેજોમાં આ સ્થિતિ જોવા મળે છે ને? વિઘાથી એટલે વિદ્યાને અથી, એ વિદ્યા દેનારને સતાવે? પણ આજે એમ બને છે. કારણ કે યેગ્યતા નથી. માતા-પિતાએ ખવરાવવા પિવરાવવાનું લક્ષ રાખ્યું પણ ગ્યતા ઘડવાનું લક્ષ ન રાખ્યું. કરાને તાવ દેખાયે તે ઝટ ઈલાજ . પણ અયોગ્યતા દેખાઈ તો કાંઈ કર્યુ? અરે કરવાનું તે પછી, પણ પહેલાં ચિંતા, ચેકામણ થઈ? સવારે ઊઠીને કરે તરત મા-બાપને પગે ન પડો, તે કઈ શિક્ષણ આપ્યું છે કે માતાની આજ્ઞા ન માની કે સામું બેલે, તે બાપે એની હાજરી લીધી? સમજણ પડી? ના, કદાચ ઊલટું એમ કર્યું હશે કે એ તે મા એવી છે, છેક મારું તે બરાબર માને છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy