SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી સમરાદિત્ય ૦ યશઘરમુનિ ચરિત્ર અશાંતિનો અનુભવ થાય છે. કરડેનું ધન, વિશાળ પરિવાર અને મેટી સત્તાઓ પણ એને શક્તિ આપી શકતી નથી! સહન કરવાના રસવાળે અનેકાનેક દુર્યાન, કુવિકલ્પ, છળકપટ, અને બીજાં દુ:ોથી બચે છે; રાગ-દ્વેષને વિજય કરી શકે છે; ઈન્દ્રિયોની નિરંકુશતા અટકાવી એને સન્માર્ગે વાળી શકે છે. કહે, જીવનમાં સહન કરવાનો રસ આત્માના ભાવશત્રુની સામે એક મહાન બખ્તર છે. અસહિષ્ણુતાના અનર્થ - અસહિષ્ણુ અને માત્ર સગવડને જ પૂજારી આ લાભ ક્યાંથી પામી શકે? (૧) એને તે બિચારાને મન-વચન-કાયાનાં પાપ, પાપ ને પાપમાં જ રાચવું-ડૂબવું રહ્યું ને કષામાં ઊકળવું રહ્યું. પરિણામ? (૨) અહીં પણ અશાંતિ, અને પરભવે મહા અશાન્તિ! (૩) અસહિષ્ણુ અને સગવડિયાનું મન એટલું બધું કુવિકપિની હારમાળાથી વ્યસ્ત રહે છે કે ત્યાં તરવચિંતન અને વરાગ્ય ભાવનાઓ માટે અવકાશ જ નથી હોતો. એ લાભ તો સહિષ્ણુ અને સહનવૃત્તિવાળાને જ મળે છે. આ જીવનમાં સહન જ કરી છૂટવાના મહાન પુરુષાર્થપરાક્રમ આદરવાં છે, એટલે કવિક એને શાના ઊઠે? એ નહિ, એટલે તત્વચિંતન અને વૈરાગ્ય-ભાવનાઓને સારે અવકાશ મળે છે. પિતાને સહન જ કરવું છે એટલે બીજાને સગવડ આપવા, બીજાની સેવા કરવા અને બીજાનાં દુઃખ દૂર કરવાનું એને સરળ થઈ પડે છે એને રસ સહેલાઈથી રાખી શકે છે, અને અમલ હોંશથી કરી શકે છે. અસહિષ્ણુ અને સગવડપથીને આવા પરોપકાર કે પરાર્થવૃત્તિનાં વ્યસન શાનાં હોય? એને તો બસ સ્વાર્થની જ એક લગની રહે છે. ક્યાંક પ૫કારનું કાર્ય કરી આવે તે ય એમાં પિતાની સગવડની દષ્ટિ ઊભી જ હોય! પતાને સ્વાર્થ ન ભાંગે, સ્વાર્થ સરે, એવી લેશ્યા વતી જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy