SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ્યતા શી રીતે આવે? ૧૩૭ અર્થાત્ ઝટ મનમાં આવે છે, કે “અહીં લાંબી દૃષ્ટિથી વિચાર કર. કોના વધારે ટકા? કોના એાછા? એ જે. અને બધું કામ હૃદય બહુ સભ્ય રાખીને લે.” એવું હુરે એટલે, અને એ ગુણે માટેની સમત્વભરી ભાવના પહેલા વારંવાર કરી તે છે જ એટલે, સહેજે પ્રસંગ વખતે એને કંઈ ને કંઈ ઉપયોગ થાય છે. બસ, આ રીતે અભ્યાસ કર્યો જઈએ એટલે પછી એ ગુણે સહજરૂપે એવા કેળવાઈ જાય કે એને સ્વભાવ જ બની જાય. અનું નામ ગ્યતા ઘડાઈ ગણાય. એના પર પછી યેચ આચરણુ સહેજ બની આવે, ચાહા ધાર્મિક બાબતમાં ચા ગૃહસ્થપણની સાંસારિક બધી બાબતમાં યોગ્ય રીતે વર્તાય. મહાન ગુણ કૃતજ્ઞતા : (૨) યેગ્યતા કેળવવા માટે બીજો એક ગુણ કૃતજ્ઞતા નામને કેળવવાનું છે. કયારેય પણ કેઈન ચ ઉપકાર ન ભૂલીએ, ઉપકરીને દ્રોહ કે ઉપેક્ષા ન કરીએ. ઊલટું અવસર અવસર પર તેને બદલે વાળવા તત્પર રહીએ. વિશેષ કરીને ગુહસ્થજીવનમાં માતા, પિતા, વિદ્યગુરુ, આજીવિકા આપનાર શેઠ તથા કોકટીમાં કિંમતી સહાય કરનાર પ્રત્યે કૃતજ્ઞભાવ ખૂબ સારી રીતે જળવા જોઈએ, અદા કરે જોઈએ. જે એ નથી તે વેશ્યતા મૂળમાં નથી, એટલું જ નહિ પણ ગ્યતા લાવવા માટેનું અભ્યાસ પણ નથી. ત્યારે એ વિના કદાચ વૈરાગ્યથી ચારિત્ર પણ લઈ લીધું છતાં ચારિત્ર-જીવનમાં એને અનત ઉપકાર કરનારા ગુરુ પ્રત્યે કૃતભાવ જાળવવા માં થઈ પડે છે. પછી એ કેટલીકવાર એક ગૃહસ્થને ન છાજે એટલા નીચે પાટલે બેસી જાય છે! અવસર આવ્યે ગુરુની જાહેરમાં પણ હલકાઈ કરતાં એને આંચકે નહિ આવે, યા દુનિયામાં બીજા કેઈન કરતાં ગુરુને વધારે પાડવામાં મસ્ત રહેશે! પાછું આ બધી પિતાની નાલાયકી ઉપર બનાવટી શાસ્ત્રવફાદારી, જિનાજ્ઞા મહત્વ, સિદ્ધાંતરક્ષા, ઉચિત અને હિતકારી વર્તાવ, વગેરેના વાઘા પહેરાવશે ! ભેળા છાના મગજમાં એ ઠસાવવા માટે પાછું મયણાસુંદરી, લક્ષ્મણજી, જમાલીના શિષ્ય વગેરેનાં દષ્ટાન્તો સિફતથી શેઠવશે! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy