SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સૌમ્યતા તરફ ઉદ્વેગ થવે તે ઉન્માદ. વળી ભારે ઉન્માદ નિરાશામાં છે, વિચારણાને મલિન કરનાર પણ તે છે. ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું; આ ત્રિપુટી આપણું આંતરિક વિચારણમાં સૌમ્યતા નથી રહેવા દેતી. આ બહુ સમજવા જેવું છે. માત્ર ગુસ્સે ન કરીએ એટલી જ સૌમ્યતા નહિ, પરંતુ સાથે ઈનિષ્ટ વિષયમાં ઉન્માદ-ઉગ ન હોય એ પણ જરૂરી છે. ઉછાંછળાપણાને બદલે ગંભીરતા હોય એ પણ જરૂરી છે. તે જ સંગીન સૌમ્યતા આવે. આ સૌમ્યતા ન હોય તે વિચારણું બહુ જ ગંદી, સવહીન, તામસી અને ભયંકર અપાયેને સર્જનારી બને છે. ઉકળાટ આ કામ કરે છે. -રોષ ને રોફ! “આ જોઇએ ને તે જોઈએ!” “ફલાણે શાને દાબી જાય?” આ માનસિક વલોપાત રહે છે! આપણું વિચારણામાં સૌમ્યતા રાખવા ઉન્માદને એ છે કર જોઈએ, નહિતર ને ઉન્માદ ચાલુ છે તે સૌ શ્વેતા બનાવટી બને છે. મુખ, મુદ્રા, વાણુને વિચારમાં અસૌમ્યતા આવતાં વાર નહીં લાગે. માટે “વિચારસરણુમાં ઉન્માદને એક પણ ડાધ ન લાગવા દઉ....આ નિંર્ધાર રાખી એ પ્રમાણે પુરુષાર્થ કરે. નશીબની ગાડીમાં બેઠે છું તે કઈ ખાડામાં પણ ચાલે અને ટેકરા પર પણ ચઢે! ગમતા વિષયે આવ્યા, કે અણગમતા, પણ આપણે સીધા ચાલો. ઠીક છે બધું. સારું હોય તે હેશના ઊભરા નહિ, નરસું હેય તે દીનતાના ધૂમાડા નહિ. જે છે તે બધું બરાબર સારું છે.” સારું–બરાબર” એટલે કે સમાધિ અને ધર્મસાધનામાં ઉપયોગી થાય એવું. નરસું છે તે ઠીક છે, એટલા માટે કે પાપ ઓછા થશે. મન સ્વસ્થ કેવુંક હેય-નસીબની ગાડી એના ધોરણે જ આલવાની. એમાં આપણી વિશેષતા એ કે મન કહે, “તુ ગમે તે રસ્તે ચલાવ, મારે બધું જ ઠીક છે,'-આ જે આત્મસંતોષ, હૃદયને ઉદાસીનભાવ, મન એના ઘરનું જોઈએ “બધું ઠીક છે બરાબર છે” એવી ઉન્માદને ટાળવા રટણ કરવી જોઈએ. જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy