SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા યશેધરમહર્ષિ તે આપણે દેવના દૂત, સંત બની જઈએ! આમાં કાંઈ રાતી પાઈને ખર્ચ છે? ના. લાભ કેટલો છે, વિચારણામાં સૌચતા કેળવી એટલે મામુલી પ્રસગમાં ઊચા-નીચા થવાનું રહે નહિ. જીવને ઉકળાટ કેમ થાય છે? માને છે “પ્રતીકાર ન કરીએ તો બધું બગડી જાય.” પણ આ અજ્ઞાનતા છે. સમજતું નથી કે તારા પ્રતિકારથી જ બધું સુધરે તેમ સમજ મા. જે લલાટ તારું સલામત છે તે પછી તારે મામુલી વાતમાં ઊંચા-નીચા થવાની જરૂર નથી! સૌમ્યતામાં ઉકળાટ ન જોઈએ. ઉકળાટ રેષને ય હેય, ઉકળાટ અક્કડતાને ય હોય. પ્રપંચ, કપટ અને જણાને પણ હેય. સૌમ્યતા જોઈતી હોય તે આ ઉકળાટ શમાવવા જોઈએ. રેષ-રફ-ઘમંડ કાંઈ નહિ. “મારે આ સૌમ્યતા જોઇએ. આના વિના ન ચાલે, મારે કઈપણ જાતને ઉકળાટવિચારણામાં લાવવાની જરૂર નહિ!” આ નિર્ધાર જોઈએ. “નશીબની ગાડીમાં બેઠા છીએ. એ ગાડી આપણા કહ્યા. મુજબ ચાલે તેમ નથી, પણ તે ચાલે તેમ આપણે વર્તવું પડવાનું છે.” માટે કેઈ ઉકળાટ શા સારું કરું? ઉકળાટથી કાંઈએ ગાડી કરે એવી નથી. એને ફેરવવા કરતાં હું જ ફરી બેસું; અર્થાત પુણયના ઉદાયમાં વૈભવી જીવન રાખ્યું હતું, હવે કર્મ કર્યા તે સાદું જીવન જીવું–આ વિચારે. - હવે તદ્દન સાદું જીવન બનાવી એમાં પણ પહેલાં જેટલી મિતી અનુભવવાની. સંગેને ફેરવવા મથવું એના કરતાં આપણે એને અનુકૂળ થવું એમાં ડહાપણ છે. એ માટે ઉકળાટ મિટાવે. એમ, - ઉન્માદ ન જોઈએ. ઉન્માદ શું ? ઈન્દ્રિયોના રળિયામણા વિષયે દેખી ઘેલછા થવી અને અણગમતા વિષયે દેખી તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy