SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી સમરાદિત્ય - યશોધર મુનિ ચરિત્ર થયું લાવ, કહી દઉં, મા ! તારે મન અધું સહેલું છે. તે સંસારને સ્વાદ લઈ બેઠી, એટલે તારે ત્યાગ સહેલો. અમારે તે હજી ભેગની ઉમર છે. ત્ય, કાચી વયમાં અપાવી દીધી દીક્ષા! હવે યુવાની ખીલી ઊઠી ત્યારે ભેગના સ્વાદ સમજાય છે. ત્યાં તારે ચારિત્રની વાત કરવી છે? તું તારે તારું સંભાળ. અમને અમારું ફેડી લેવા દે..” આવું કાંઈ એણે મનમાં ય ધયુ નહિ. ભગવાનની અનુપમ વાણી,ને ગુરુઓની ઉત્તમ પ્રેરણા પણ, મન જે લોચા વાળે છે, આપમતિમાં આગ્રહી રહે છે, અને જ્ઞાની અને નિકવાથ ઉપકારીઓની દીર્ઘદ્રષ્ટિ તથા વાત્સલ્યભરી હિતચિતાનાં મૂલ્યાંકન કરી શકતો નથી,-તે એળે જાય છે; ઉલ્લે જીવ નઠેરપણું વધારી ચીકણું કર્મ બાંધે છે, અને મેહ દઢ યે છે! ખબર નથી કે ભેગની ભૂખ વિયભેગથી મટે નહિ પણ વધે. અનંતા પૂર્વજન્મમાં શું નથી ભેગવ્યું? તે ભૂખ મટી? ના, એમ મટે નહિ, ત્યાગથી જ મટે. અરણિકને તે સચેટ ભાન થઈ ગયું, “આહાહા ! કેવાક માતાનાં તરવવચન! જ્યાં હું મેરુ-શિખર પરથી છેક નીચે ખીણમાં ગબડ! ક્યાં મેં ઇન્દ્રના સિંહાસન મૂકી ભંગીનાં ઘર પકડયાં! પવિત્ર જ્ઞાનાગારમાંથી વિષયના નરકાગારમાં જઈ વસ્ય?” અરણિકે ફરી વરાગ્ય પામી સંસાર તજી પાપના ઘેર પશ્ચાતાપમાં સીધાં શિલા પર અનશન ઝુકાવી દીધાં! મા તે મા, આર્ય રક્ષિતની માતાએ આર્ય રક્ષિતને દૃષ્ટિવાદ (જેનાગમમાં બારમું અંગ) ભણે તે ખુશ થવાનું કહ્યું. કેમ ભણાતાં હશે એ? સાધુ થવું પડે! પંડિતની મા થવાના, રૂપિયાની કેથળીઓની સ્વામિની બનવાના કેડ શ્રાવિકા માતાએ ન કર્યા! કેમ ન ક્ય? સમજતી હતી કે એવા શા કેડ કરવા'તા? “ચાર દિન કી ચાંદની, પી છે ઘર અધેરી રાત.” કવિ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy