SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ! ૧૦૭ અજપ નહોતે, તે હવે અરુચિ, વ્યાકલતા, વિરોધ, અજપે ઊભા થયાં. એ જ એને ધક્કો લાગ્યો કહેવાય. રાગાદિ તરફ નિશ્ચિતતા હતી, નિશ્ચિતપણે એનું સેવન હતુ, કોઈ ભય, અજુગતાપણું ને વ્યાકુલતા થતી નહતી, એ એની સ્થિર, દમૂળ જમાવટ હતી. હવે એના પ્રત્યે ચિન્તા ઊભી થઈ, ભય લા , વ્યાકુળતા-વિરોધ થયા તે એને ધક્કો લાગ્યો કહેવાય એના પાયા હચમસ્યા કહેવાય. હજી એ જતા રહ્યા નથી, કદાચ એાછા પણ નથી થયા, પરંતુ એની પાપ તરીકે સાચી ઓળખ થઈ, એના તરફ વસવસે ઊભે થયે એ એની ઇમારત હવે કંપી કહેવાય. વીતરાગનાં દર્શને કમમાં કામ આટલું તો થવું જ જોઈએ. આટલું પણ જે થાય તે મને લાગે કેસંસા૨પારગામીના ભક્તની ભાવના – “અરે! આવા સંસારથી મુક્ત મહાન દેવાધિદેવની સંગત હું પાઓ, તે હવે સંસારને બહુ ગણું? તે એટલે સુધી કે નાથની ભક્તિમાં છેડે ય સંસારને ભેગ આપવા અને તલસાટ ન થાય? સંસારપારગામીને ભજનારે હું, અને સંસારમગ્ન? શું સંસાર મને એટલો બધો પકડી રાખે કે એમાંનું કશું', રાતી પાઈ જેવું ય નાથના ચરણે ન ધરું? હે નાથ! તારા કરતાં આ ધન-માલને બહુ કિંમતી લેખું છું ત્યાં સુધી મને તારા પર રાગ પ્રેમ શાનો? ક્યારે એ ધન્ય દિવસ આવે કે બધું તારી ભક્તિમાં - છાવર કરી દઉં? એટલી હદ સુધી એ બધું ક્યારે મને તારી આગળ તુછ લાગે?' રેડીમેઈડ ભગવાન - આવું કાંક કુરે પછી બધું તો શું પણ હું તો જરૂર વીતરામના ચરણે ધરવાનું રેજ બને. એના વિના ચેન ન પડે, ખાવું ન ભાવે, ઊંઘ ન આવે. કહો, જે મંદિરે જાઓ છે, છેવટે અગરબત્તીને નાને ટુકડો ય ખીસામાં લઈને જ જાએ છે ને? “કઈ નહિ ભાઈ! વધુ કાંઈ નથી કરતો પણ પ્રભુની આગળ જરા વાતાવરણ તે આનાથી સુગંધિત કરું. એટલે તે પ્રભુભક્તિમાં ખર્ચ રાખું, ધનને ભેગ આપું!” આવા સુરાસુરેન્દ્રોને પણ પૂજ્ય અને આપણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy