SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ સેવતાં હૈયે કે ફફડાટ ૧૦૩ શ્રાવકને એક મહાન ગુણ “પ્રજ્ઞાપનીયતા, એટલે કે સમજાવે તે સમજવાની ને સ્વીકારવાની યેગ્યતા’-એ ગુણનું દેવાળું નીકળે છે. કારણ? પાપમાં કઠેરાત અને નિકુરતા. હૈયામાં ફક્કાટ – વીતરાગની તારક વાણીના અને પવિત્ર સાધુપુરુષના સમગમના ઊંચા લાભ લેવા હેય તે આ કઠેરતાનિકુરતાને પહેલાં રવાના કરી દેવી જોઈએ. પાપની વાતમાં હૈયું ફફડતું રહેવું જોઈએ, ફફડાટ હશે તે પાપ કરેલું બહુ ફ્યુ લાગશે. પાપમાં હૈયાને ફફડાટ હશે તો પાપ પર કર્તવ્યને સિક્કો મારવાનું નહિ કરાય, એ રાચીમાચીને કરવાનું નહિ થાય. ગભરાશે નહિ, હૈયાંને ફફડાટ રાખવાથી સંસાર, દુકાન, ઘર, ઓરેગ્ય બધું અટકી નહિ પડે, ઊલટું એ બધામાં આત્મા જાગતો રહેશે બિનજરૂરી પાપથી બચવાનું કરશે, ને જરૂરી પા૫ રાચી માચીને નહિ કરે, પણ બળતા દિલે કરશે, ન કરવું પડે તે સારું એમ માનશે. આ જાગૃતિ છે. તે આ તે કરવું જ છે ને? જાગતા રહેવું છે કે ઊંઘતા? પાપે એાછાં કરવાં છે કે ભરચક રાખવાં છે? કહે ને “જાગતા જ છીએ.” કે, પાપ કરતાં જ નથી” -આનું કહેવું છે? 'તો પછી એ સંસારમાં રાગદ્વેષ નથી થતા ને? જૂઠ નથી બેલતા ને? ઈર્ષ્યા, વેરઝેર, કલેશ, કંકાસ નથી કરતા? સ્વાર્થલીલામાં બીજાનું ઉખેડી નથી નાખતા? સીદાતા સાધમને છતી શક્તિએ ઉવેખે છે? પિસા-પરિવાર–પ્રતિષ્ઠા ઉપર સાધમિકના અપમાન-તિરસ્કાર કરે છે? નિંદા વિનાને, બીજાનું ઘસાતું બેલ્યા સિવાયને, એક પણ દહાડે પસાર થાય છે? નિંદામાં આગળ વધીને કયારેક સાધુસાધ્વીજીનું હલકું બેલવા-સાંભળવનું રસપૂર્વક નથી કરતા? તપાસે, તપાસે, રેજિંદા જીવનમાં પણ કેટકેટલાં પાપે સેવી રહ્યા છો? જાગતા છો કે મેહની ઘેર નિદ્રામાં ઊંઘતા? જીવનમાંથી પાપ ઓછાં કરવાનાં લક્ષણ છે કે બેફિકર ચાલુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy