SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ સેવતાં હૈિયે કે ફફડાટ ? સુખ શી રીતે મળે? - જીવોના ઉપર દયાભાવ ન હૈય? “આત્મવત સર્વભૂતેષુ” બીજા જીવેને આપણા જેવા જ સમજવાથી સહેજે દયાભાવ, સહાનુભૂતિ-ભાવ આવે. મનને એમ થાય કે – બીજાને દુઃખ દેવાથી સુખ મળતું હોય એવા સુખની કશી જ કિંમત નથી. એવું સુખ જનમમાં જાઓ, મારે ન જોઈએ; અને એમ સુખ મળે જ એ ક્યાં નિયમ છે? ઘણાય અભક્ષ્ય ખાનારા ને જવાની હિંસા કરનારા દુઃખમાં પીડાય છે. સુખ તે પુણયને આધીન છે. એવા પુણ્ય-પરાધીન સુખને કાંઈ પરપીડનથી નહિ આંચકી શકાય. જૂઠ-અનીતિથી સુખ મળવાની બમણું – માણસ અનીતિ-અન્યાય કરી માને છે કે સુખ મળશે.” જઠ બેલી સુખ મેળવવા ઝખે છે પણ ખબર નથી કે સુખને એ ઉપાય જ નથી. “કાગનું બેસવું ને તાડનું પડવું' એ ન્યાયે જૂઠ-અનીતિ કરી અને સુખ મળ્યું કદાચ દેખાય, છતાં ત્યાં સમજવા જેવું છે કે સુખ તે પૂર્વનું પુણ્ય હતું તે મળ્યું. બાકી હિંસા-જૂઠ-અનીતિથી સુખ મળે નહિ, એમાં લલચાતા પહેલાં એ વિચારવું જોઈએ કે “જરા ખમ, આ હિંસાદિ કરવા છતાં રેગ ન ગયે તે? જૂઠ-અનીતિ કરવા છતાં પૈસા ન મળ્યા કે મળવા છતાં બીજે રસ્તે પૈસા ગયા તે? માનવતાને લજવે એવાં પાપ, ને પરલોક ભયંકર કરે એવાં દુષ્કૃત્ય, માથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy