SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનમાં સમાધિ છે એમાં સારી ચીજ પાસે છે તે લઈ જઈને ભક્તિ કરવી,' એવું દેવાધિદેવ પ્રત્યે બહુમાન છે, આ મહાન ફરક છે ભક્તને ભગવાન પર હૈયામાં એટલું બધું બહુમાન છે કે એમની ભકિત પિતાની સારામાં સારી ચીજ-ઉપકરણ વેશ વગેરેથી કર્યા વિના રહેવાય જ નહીં. હા, એ પ્રશ્ન જરૂર છે કે પાછું સ્થાન એનું રહેતાં મુખ્ય કાચ પરમાત્માનું ધ્યાન મેળું પડી ન જાય? આ માટે આટલું હૃદયમાં લખી રાખવાનું છે કે ભગવાનની ભક્તિ સારામાં સારી વસ્તુ-સરંજામથી શા માટે કરવાની છે? એટલા જ માટે કે ભગવાન સૌથી સારા છે. કહે છે, મેટા કિંમતી હીરામાણેક કરતાં પણ ભગવાન કેટલા સારા? તુલ્ય? બમણા? દાસગુણ? ના, અનંત ગુણ સારા. માટે જ મેટી ઝવેરાતની સુંદર આંગી જઈને આગ બહુ સારી’ એ અનુદના કરવાની સાથે એ ભાવના જરૂર કરજો કે “વાહ! કેમ ન હોય? મારા ભગવાન વિશ્વશ્રેષ્ઠ છે; એમને સારામાં સારી આંગી હોય જ. આંગી બહુ સારી, પણ ભગવાન તે અનંત ગુણ સારા છે! વિશ્વદયાના ભરેલા અનંતગુણેના સ્વામી! ઈન્દ્રોને પણ પૂજ્ય! ભયંકર ભવમાંથી મુકાઇ કરનારા, સદ્ગતિના દાતા..વાહ! કેવા અનુપમ પરમાત્મા!” આ ભાવના પણ સાથે જ કરવાની છે, કે જેથી ચિત્ત આંગીનું નિમિત્ત પામી મુખ્ય પ્રભુ ઉપર લાગી જાય. હવે જો આ ભાન જાગત છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, તે એમની આગળ સારી ચીજ-વસ્તુ તુચ્છ લાગશે; તેથી એ ચી ભગવાનના ધ્યાનમાં દખલ નહિ કરી શકે. મનને બેઠું છે કે ચીજ-વસ્તુ તે લલાટમાં લખ્યા પ્રમાણે મળવાટકવાની છે, પણ આવા ભગવાન કયાં મળે?' જગતના માલ એ માલ નથી, માર છે, એવું ધર્માત્માને હૈયે સચોટ વસેલું હોય,નહિતર મહાપુરુષે ધર્મકાર્યમાં હજારેલા-કડે શી રીતે બચી શક્યા હશે? એ સમજતા હશે કે “આ લાખો-કરડે તિજોરીમાં પડયા માલ નથી માર છે; આત્માને પ્રત્યક્ષમાં કેટલાય રાગ-દ્વેષ-મેહ, મદ-મત્સર, હિંસા-જૂઠ વગેરેના સેટા લગાવે છે, અને પરલોકમાં નરકનિદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy