SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન ૨૧૫ ગૃહ્યસૂત્રના મુખ્ય પાંચ વિષયો આનંદશંકર ગણાવે છે : (૧) પાકયજ્ઞ (૨) વર્ષમાં જુદે જુદે વખતે કરવાના ઋતુઓના યજ્ઞ (૩) શ્રાદ્ધ (૪) પંચમહાયજ્ઞ (૫) સંસ્કાર પાકયજ્ઞ : પાક્યજ્ઞમાં ઘરમાં અન રાંધીને અગ્નિ દ્વારા પરમાત્માને આહુતિ આપવાની ક્રિયા છે. ટીકાકારો “ એટલે અલ્પ, નાના અથવા તો પ્રશસ્ત યજ્ઞ એવો અર્થ કરે છે. તો કેટલાક પક્ષ' એટલે રાંધવું એવો અર્થ કરે છે. આનંદશંકર આ બીજા અર્થને વધારે સ્વાભાવિક ગણાવે છે. (૨) ઋતુઓના યજ્ઞ : વર્ષના જુદા જુદા વખતે કરવાના ઋતુઓના યજ્ઞ - જે જાતે જ ધાર્મિક ઉત્સવ હતા અને તેમાંથી જ જતે દહાડે હિંદુઓના વિવિધ ઉત્સવો અને તહેવારો ઉત્પન્ન થયેલા છે એમ આનંદશંકર માને છે. (૩) શ્રાદ્ધ : શ્રાદ્ધ ગત પિતૃઓનું સ્મરણ કરી એમના પ્રત્યે ભક્તિ જાગતી રાખવાની ક્રિયા છે. શ્રાદ્ધ ક્રિયાનું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે : (૧) “શ્રાદ્ધ જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે - પર જીવન છે અને આપણાં વહાલાં સગાંસંબંધીઓ દેખાતાં બંધ થયાં એટલે લુપ્ત થઈ જતાં નથી પણ પર જીવનમાં રહે છે એવી જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે - એ શ્રદ્ધા જ એનું ખરું તત્ત્વ છે.” (૨) શ્રાદ્ધની ક્રિયા આનંદ આનંદથી જ ભરપૂર છે ? જીવ મૃત્યુ પામ્યો એટલે કુટુંબથી વિખૂટો પડી ગયો છે એવી શોકની સમજણ જ એમાં નથી. એ જીવ હંમેશાં પાછળનાંની સાથે, એમની વચમાં જ વસે છે. કુટુંબના સુખ-દુઃખના પ્રસંગોમાં એ ભાગ લે છે. છતાં એ એક ભૂતપ્રેત તરીકે નહીં પણ દેવરૂપે – એવી શ્રદ્ધા છે.” (ધર્મવિચાર -૧, પૃ.૫૯૮) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy