SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદશંકરનું ધર્મચિંતન ૧૮૯ જગતવિષયક વિચાર : "कुशलान्न प्रमदितव्यं भूत्यै न प्रमदितव्यं", (તૈત્તિરીય ઉપનિષદ, અનુવાફ-૧૧ શ્લોક - ૧) અર્થાત્ - ‘કુશલ’ અને ‘ભૂતિ' (આબાદી)ની બાબતમાં પ્રમાદી ન રહેવું - તેવા ઉપદેશની સાથે સાથે સર્વ પ્રવૃત્તિઓનું પરમ ઉદેશસ્થાન પરમાત્મા છે એ વાતનું પણ સ્મરણ રાખવામાં આવે છે. આમ ‘ઈહ’ અને ‘પર’ બન્ને લોકની સમૃદ્ધિ અહીં સૂચિત છે. બૌદ્ધ ધર્મ આ જગતને દુઃખમય અને તત્ત્વશૂન્ય ગણી તિરસ્કારી કાઢ્યું, જેથી સર્વત્ર સન્યાસનો વિસ્તાર થવાથી વ્યવહારમાં શિથિલતા પરિણમી છે. તો ક્રિશ્ચિયન ધર્મમાં દેખાતી પ્રજાની પ્રવૃત્તિશીલતા એ પણ રોમ અને ગ્રીસમાંથી ઊતરી છે. ક્રાઈસ્ટનો મુખ્ય ઉપદેશ તો જગતના વ્યવહારની દરકાર ન કરતાં પરમેશ્વર પર પ્રેમ અને વિશ્વાસ રાખી રહેવાનો છે. આમ, બૌદ્ધધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં જે રીતે જગતનો નકાર છે તેવો જગતનો નકાર બ્રાહ્મધર્મમાં નથી. ઊલટાનું જગત સંબંધી વિચારમાં બ્રાહ્મધર્મમાં ઈહલોક અને પરલોકનો યોગ્ય વિચાર દર્શાવ્યો છે. ઈશ્વરવિષયક વિચાર : બૌદ્ધધર્મે કેટલોક વખત ઈશ્વર સંબંધી વિચાર ન કર્યો, અને જયારે કર્યો ત્યારે ઘણું કરીને બ્રાહ્મધર્મને અનુસરીને જ કરેલો છે એવો આનંદશંકરનો મત છે. તો બીજી બાજુ ખ્રિસ્તી ધર્મમાં પણ આરંભમાં ઈશ્વરને એક મનુષ્ય-પિતા તરીકે જ કપ્યો છે અને પછીથી ઈશ્વર સ્વરૂપ વિષયક જે જે ગંભીર વિચારો ખ્રિસ્તી ધર્મમાં થયા તે સર્વમાં ગ્રીક ફિલોસોફીની અસર છે. આમ, ખ્રિસ્તી ધર્મમાં પણ આનંદશંકરના મતે ઈશ્વરસંબધી તત્ત્વવિચાર સ્વતંત્ર રીતે ઉદ્ભવેલો જોવા મળતો નથી, જયારે આ બંનેની સરખામણીએ ઈશ્વર સંબંધિ તત્ત્વવિચાર બ્રાહ્મધર્મમાં વ્યાપક સ્વીકાર પામ્યો છે. વેદના સમયથી માંડીને આ જ પર્યત એવી અનેક ઉક્તિઓ બ્રાહ્મધર્મમાં મળે છે, જેમાં ઈશ્વરના સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે. આવો વિચાર બીજા કોઈ ધર્મમાં મળવો મુશ્કેલ છે. જીવવિષયક વિચાર : બૌદ્ધધર્મ આત્માના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે છે. જ્યારે ખ્રિસ્તી ધર્મમાં આત્માની સ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે. તેમાં આનંદશંકર જડવાદીરૂપી કલિના પ્રવેશનો માર્ગ જુએ છે. આત્માના શાશ્વત સ્વરૂપના સ્વીકાર વિના જગત અને જગતનો દષ્ટા (ઈશ્વર) બંને અસંભવિત છે. તેથી બ્રાહ્મધર્મમાં કરેલો જીવ સંબંધી વિચાર સર્વધર્મમાં શ્રેષ્ઠ સ્થાને છે એમ આનંદશંકર માને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy