SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणं व्यवसायात्मकम् । [, ૭, રહેલ સ્વર્ગ પ્રાપણુશકિતને પણ સાક્ષાત્કાર થઈ જ જોઈએ, કારણ કેબૌદ્ધો માને છે કે- “આ બધું ક્ષણિક છે – એવી વાસનાવાળું જે ચિત્ત હોય છે તે સ્વર્ગગમન એગ્ય છે. આથી જ્યારે તેવા ચિત્તને સાક્ષાત્કાર થાય ત્યારે તદભિન્ન તેની સ્વર્ગ પ્રાપણુશક્તિને પણ સાક્ષાત્કાર થવો જોઈએ, પણ શક્તિ અતીન્દ્રિય હોઈ પ્રત્યક્ષ યોગ્ય નથી, પણ અનુમેય છે. આથી અહીં આપત્તિ આપી છે, કે– સ્વર્ગ પ્રાપણુશક્તિનું પણ ચિત્તસ્વરૂપ સાથે પ્રત્યક્ષ થતું હોઈ તે વિષે તે પ્રમાણુ થઈ જવું જોઈએ, પણ થતું નથી. જે સ્વર્ગ પ્રાપણુશકિતનું પ્રત્યક્ષ થતું હોય તે ચાર્વાકની સ્વર્ગવિષેની વિપ્રતિપત્તિને અવકાશ જ ન રહેત. વળી નિરંશ વસ્તુ વિષે નિશ્ચય અને અનિશ્ચય એ બે વિરોધી ધર્મો ન હોય. આથી જે નીલને નિશ્ચય હોય તે ક્ષણક્ષયને પણ નિચય માનવો જોઈએ. અને તે જ પ્રમાણે જે અહિંસાચિત્ત અને દાનચિત્તના સ્વરૂપને નિશ્ચય હોય છે તેથી અભિન્ન તેની સ્વર્ગ પ્રાપણશક્તિને પણ નિશ્ચય હેવો જોઈએ. આ પ્રકારે નિરંશવાદી બૌદ્ધને તે સ્વસંવેદનથી સ્વરૂપ નિશ્ચય માનવામાં ક્ષણક્ષય અને સ્વર્ગ પ્રાપણુશકિત વિષે પ્રત્યક્ષના પ્રામાણ્યની આપત્તિ આચાર્યે પ્રસ્તુતમાં આપી છે. અનુરૂપ વિકલ્પોત્પાદક હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે એ બીજો પક્ષ કહો તે-તે યુક્તિયુક્ત નથી. કારણ કે- સર્વથા વિકલ્પરહિત અવસ્થામાં થનાર નીલાદિ દશન પછી “આ નીલાદિ છે” આવા સ્વરૂપને, અર્થોલેખની પ્રાધાન્યતાવાળો વિકલ્પ પ્રાયઃ અનુભવાય છે. વળી, જ્યાં “મને નીલા જ્ઞાન થયું આ વિકલ્પ થાય છે ત્યાં પણ નીલ જ્ઞાન વિષે ઉલ્લેખ છે, પણ તેની નિર્વિકલ્પકતાને ઉલ્લેખ નથી, આથી તે વિકલ્પ વડે તે જ્ઞાન છે એટલું તે સિદ્ધ થઈ શકશે, એથી એ વિષયમાં સ્વસંવેદન પ્રમાણુ બનશે, પણ તેની નિર્વિકલ્પતામાં તે પ્રમાણ નહીં બને, કારણ કે–તદનુરૂપ વિકલ્પ થયો જ નથી. . વળી, વિકલ્પની સિદ્ધિ પણ કઈ રીતે થશે? જે સ્વસંવેદન પ્રત્યક્ષથી થતી હોય તે તે– સ્વસંવેદન પ્રત્યક્ષનું પ્રામાણ્ય સ્વરૂપ પદર્શન માત્રથી છે ? કે બીજા વિકલ્પને ઉત્પન્ન કરવાથી? “સ્વરૂપદર્શનમાત્રથી” કહે તેપ્રથમ કહેલ દોષ-ક્ષણક્ષય અને સ્વર્ગ પ્રાપણુશક્તિમાં પ્રામાણ્યની આપત્તિ”—આવશે. બીજા વિકલ્પને ઉત્પન્ન કરવાથી ”—એ બીજો પક્ષ કહે – અનવસ્થા દેપ આવશે, અને તેથી સ્વસંવેદન પ્રત્યક્ષના પ્રામાણ્યની સિદ્ધિ કઈ રીતે થશે, જેથી કરીને પક્ષના અંશમાં બાધ આવે એટલે કે “પ્રમાણરૂપે સંમત સકલ જ્ઞાન વ્યવસાયાત્મક છે”—એ અમારે પક્ષ નિબંધ છે. કારણ કે નીલદશનને તમે વ્યવસાયશૂન્ય સિદ્ધ કરી શકયા નથી. (५०) तादृक्षस्येति व्यवसायवन्ध्यस्य । तस्येति नीलादिदर्शनस्य । तस्येन्द्रियझानेत्यादि- “ન્દ્રિયેળ પરિજિન્ને પા તરનત્તા ચટૂવાહિ તતતત્ર મનોજ્ઞાન પ્રવર્તતે इति श्लोकस्तर्कभाषासूत्रं चात्रैव- . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy