SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨, ૭, ] प्रमाणं व्यवसायात्मकम् । जानातीति कोशपानप्रत्यायनीयम् । नापि तुर्येण यतः-तत् स्वरूपोपदर्शनादेव प्रमाणं स्यात् , अनुरूपविकल्पोत्पादकत्वाद् वा ? आये पक्षे, प्रत्यक्षं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि प्रमाणतामास्कन्देत् । द्वितीयपक्षोऽप्यक्षमः, संहृतसकलविक पावस्थाभाविनीलादिदर्शनानन्तरं 'नीलादिरयम्' इत्यर्थोग्लेखशेखरस्यैव विकल्पस्य प्रायेणानुभवात् । यत्रापि नीला दिज्ञानं ममोत्पन्नमिति ज्ञानोल्लेखी विकल्पः, तत्रापि ज्ञानमात्रोल्लेखित्वादस्य तत्रैव दर्शनस्य प्रामाण्यं स्याद् , न तु तन्निर्विकल्पकावे । ___ अपि च, विकल्पस्यापि कथं सिद्धिः ? स्वसंवेदनप्रत्यक्षादिति चेत् । तस्यापि स्वरूपोपदर्शनमात्रात् प्रामाण्ये तदेव दूपणम् । विकल्पान्तरोपजननात् पुनरनवस्था । तथा च कथं स्वसंवेदनस्य प्रामाण्यसिद्धिः, यतस्तेन बाधा' पक्षांशे स्यात् ? ૨ બૌદ્ધ- અહીં પક્ષના એક દેશમાં પ્રત્યક્ષથી બાધ છે, જેમ કે-સર્વથા વિપરહિત અવસ્થામાં નીલાદિ દશનરૂપ પ્રમાણને વ્યવસાયરહિત રૂપે જ અનભવ થાય છે. માટે પક્ષ તરીકે સ્વીકારેલ પ્રમાણુના એકદેશરૂપ આ પ્રત્યક્ષમાં વ્યવસાયાત્મકતા સિદ્ધ થઈ શકે તેમ નથી. હ૩ જૈન–તમારું આ કથન અત્યંત અસંગત છે, કારણ કે-નીલાદિ દશન વ્યવસાયરહિત છે”—એવું જ્ઞાન તમોને કયા પ્રત્યક્ષથી છે? શું ઍન્દ્રિય પ્રત્યક્ષથી, માનસ પ્રત્યક્ષથી, યોગીઓને પ્રત્યક્ષથી કે વસંવેદન પ્રત્યક્ષથી તેને અનુભવ છે? ઍન્દ્રિય પ્રત્યક્ષથી તે નથી, કારણ કે- નિર્વિકલ્પક પ્રત્યક્ષને વિષે ઈન્દ્રિય સમૂહને વ્યાપાર નથી. અર્થાત્ ઍન્દ્રિય પ્રત્યક્ષથી નિવિકલ્પક પ્રત્યક્ષને અનુભવ માનવ યુકિતસિદ્ધ નથી. માનસ પ્રત્યક્ષ તે તમારે મતે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી જાણેલ પદાર્થોના અવ્યવહિત બીજા ક્ષણને વિષય કરવામાં કુશળ છે, તે ઍન્દ્રિય પ્રત્યક્ષને વિષય નહિ બનેલ નિર્વિકલ્પકજ્ઞાન માનસ પ્રત્યક્ષને વિષય ન જ બની શકે. ગીપ્રત્યક્ષ વડે આપણે તે કશું જ જાણતા નથી. “યેગીપ્રત્યક્ષ દ્વારા યોગી નિર્વિકલ્પક પ્રત્યક્ષ અનુભવ કરેએમ કહેવું એ વિશ્વસનીય નથી. સ્વસંવેદનથી દશનને વ્યવસાયવધ્ય કહો તે શું તે સ્વસંવેદન માત્ર સ્વરૂપે પ્રદર્શન કરાવે છે અર્થાત જ્ઞાનનું સ્વરૂપમાત્ર દર્શાવે છે-તેથી પ્રમાણ છે ? કે અનુરૂપ-અર્થાત “આ નિવિકલ્પ છે એવા વિકલ્પનું ઉત્પાદક હોવાથી પ્રમાણે છે? સ્વરૂપોપદશન દ્વારા સ્વસંવેદન પ્રમાણરૂપ હોય તે-ક્ષણક્ષય અને સ્વર્ગ પ્રાપણશકિતમાં પણ પ્રમાણ માનવું પડશે. સારાંશ એ છે કે- બૌદ્ધમતે નીલાદિ વસ્તુ નિરંશ છે, તેથી જ્યારે નીલનું પ્રત્યક્ષ થાય ત્યારે તેના સ્વસંવેદનમાં તદભિન્ન-નીલ સ્વભાવભૂત ક્ષણક્ષયનું પણ પ્રત્યક્ષ થઈ જવું જોઈએ. પણ બૌદ્ધ નિલસ્વરૂપનું તે પ્રત્યક્ષ માને છે, પણ ક્ષણક્ષયને અનુમાનથી સિદ્ધ કરે છે. તેથી અહીં “ક્ષણક્ષય વિષે પ્રત્યક્ષ પ્રમાણ થઈ જવું જોઈએ એ આપત્તિ આપી છે. વળી જ્યારે પોતાનાં અહિંસાચિત્ત કે દાનચિત્તને સ્વસંવેદનમાં સાક્ષાત્કાર થાય ત્યારે તે ચિત્તમાં અભેદરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy