SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ રાર્થઘવિરાજ [, . વાગ્યવાચકથી વાચ્યવાચકભાવ રૂપ સંબંધ એકાન્ત ભિન્ન છે, એ પક્ષ સ્વીકારેલ હવાથી તાદામ્ય પક્ષ સ્વીકારી શકાય નહિ. અને તદુપત્તિ પક્ષ પણ સંભવશે નહીં, કારણ કે આ સંબંધની ઉત્પત્તિ વાગ્યના ઉત્પત્તિકાલે થાય છે કે વાચકના ઉતપત્તિકાલે થાય છે ? કે એકી સાથે બન્નેના ઉત્પત્તિ કાલે થાય છે ? કે એકની ઉત્પત્તિ થયા પછી બીજાની ઉત્પત્તિ થાય ત્યારે ? આમાં પહેલા બે પક્ષે દુષિત જ છે. કારણ કે સંબંધ વાચ્ય અને વાચક એ બન્નેને આધારે હોવાથી બેમાંથી કોઈ એક ન હોય ત્યારે એની ઉત્પત્તિ થઈ શકતી નથી. ત્રીજો પક્ષ પણ ઉચિત નથી કારણ કે અનુક્રમે ઉત્પન્ન થનારા પદાર્થ અને શબ્દ અવાચ્ય અને અવાચક થઈ જશે. અર્થાત્ અર્થની ઉપત્તિ થઈ ત્યારે શબ્દ સાથેના સંબંધના અભાવે તે અવાચ્ય અને શબ્દની ઉત્પત્તિ થઈ ત્યારે અર્થ સાથેના સંબંધના અભાવે તે અવાચક બની જશે. ચોથા પક્ષમાં એ સંબંધ વાગ્ય અને વાચકથી જ ઉત્પન્ન થાય છે ? અથવા તે બનેથી ભિન્ન એવા અન્ય કારણે જ ઉત્પન્ન થાય ? કે વાય, વાચક અને અન્યથી પણું ? પહેલે વિકલપ માને તે સંકેતને નહિ જાણનાર નાલિયેરના દ્વીપમાં રહેનાર પુરુષને શબ્દચારણ થતાંની સાથે જ પદાર્થજ્ઞાન થવું જ જોઈએ. કારણ કે આ પક્ષમાં વાચ્ય અને વાચક એ બન્નેય વાચ્યવાચકભાવરૂપ સંબંધની ઉત્પત્તિમ કારણ હોઈ મેજુદ છે, એટલે શબ્દ સંભળાય ત્યારે સંકેત વિના પણ શબ્દાર્થ જ્ઞાન થઈ જવું જોઈએ. ફાં–વાચ્ય અને વાચકથી ઉત્પન્ન થાય કે તરત એ સંબંધ અર્થપ્રતિપાદક બનતું નથી પણ જ્યારે સંકેતથી એ સંબંધ અભિવ્યક્ત થાય છે ત્યારે જ અર્થને પ્રતિપાદક બને છે. સમાધાન–પણ કાર્યકારણે ભાવથી જુદે કેઈ અભિવ્યંગ્ય-અભિવ્યંજકભાવ તે નથી. એટલે સંકેતથી અભિવ્યક્તિ માનવામાં પણ સંકેતથી ઉત્પત્તિ માનવી જ પડે, અને એમ માનવાથી વાચ્યવાચક અને તેથી અન્ય એટલે સંકેતથી પણ તે સંબંધની ઉત્પત્તિ થઈ એમ માનવું પડે. અને એ માન્યતામાં તે ત્રીજા વિક૯૫ને જે ઉત્તર તે આ પક્ષને પણ થઈ જશે. માત્ર સંકેતથી જ એ વાયવાચકભાવ રૂપ સંબંધ ઉત્પન્ન થાય છે એમ કહેવું તે પણ ગ્ય નથી કારણ કે વાચ્ય અને વાચક એ સંબંધરૂપ ધર્મના આધાર છે. એટલે તે આધારથી ભિન્ન એવા સંકેત માત્રથી વાયવાચકભાવરૂપ સંબંધન્ની ઉત્પત્તિ ઘટે નહિ. કારણ કે એમ થાય તે એ સંબંધ તદુપન્નવાચવાચકે છે એમ કહેવાય નહીં. (५०) अन्यथा सम्बन्धस्याप्यनित्यत्वानुपङ्गादिति चेत् सम्बन्धिनौ नित्यौ न भवतः। तत्सम्बन्धिसम्बद्धसंवन्धस्वभावप्रच्युतेरिति तौ च ती सम्बन्धिनौ वाच्य-वाचकौ तत्सम्बद्धत्वलक्षणः सम्बन्धस्य स्वभावस्तस्य प्रच्युतिः । तत्रेति वाच्य-वाचकयोः। वाच्य वाचकभावयोरिति वाच्य-वाचकसम्बन्ध योः । उभयत्राविशेषादिति उभयत्र घटे पटे चासम्बद्धवाविशेषात् । अन्यतरस्याप्यसत्तायामिति । "द्विष्ठसम्बन्धसंवित्तिनैकरूपप्रवेदनात्' । अन्यतोऽपि Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy