SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેહાવતઃ | निःस्वभावत्वपक्षेऽपि. निमः प्रतिषेधार्थ वे स्वभावशब्दस्याऽपि भावाभावयोरन्यवरार्थत्वे पूर्ववत प्रसङ्गः । प्रती यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् । अत्र विरोधः-- प्रपञ्चो न प्रतीयते चेत् . कथं धर्मितया. प्रतीयमानत्वं च हेतुतयोपाददे ! तथोपादाने वा कथं न प्रतीयते ! यथा प्रतीयते न तथेति चेत् । तर्हि विपरीतख्यातेરવુપીન: થાત્ | s ૧૧. બ્રહ્મવાદીઓનું ઉપર્યુક્ત કથન તર્કની વિચારણામાં સૂક્ષ્મતાનું સૂચક નથી. તે આ પ્રમાણે મદષ્ટિવાળા હે બ્રહ્મવાદિન ! અહીં તમને મિથ્યાત્વ એટલે શું ?–અત્યન્ત (સર્વથા) અસત્વરૂપ કે અન્યરૂપે પ્રતીતિરૂપ કે અનિવાંચત્વરૂપ ઈષ્ટ છે ? આ પ્રમાણે મહાદેવના નેત્રત્રયની જેમ ત્રણ વિકલ્પ થાય છે. તેમાં પહેલા બે પક્ષ તે તમે સ્વીકારતા નથી, એ જ તેને પરિહાર-ઉત્તર છે. અનિર્વાવ નામને ત્રીજો વિકલ્પ માને તે–પૂછીએ છીએ કે-અનિવયવ એટલે શું ? નિશક્તિવિડ–એટલે કે–તેના પ્રતિપાદક શબ્દને અભાવ છે કે નિક્તિના નિમિત્તનો વિરહ છે કે નિઃસ્વભાવરૂપ છે ? પ્રથમવિકલ્પ તે કપના કરવા લાયક નથી, કારણ કે-આ સરલ છે, આ સાલ છે, એ પ્રમાણે નિશ્ચિત ઉક્તિ- વ્યવહારને અનુભવ તે થાય છે. બીજો વિકલ્પ પણ કહી શકશે નહીં કારણ કે -નિરુક્તિનું નિમિત્ત જ્ઞાન છે કે વિષય ? જ્ઞાનને વિરહ-અભાવ તે કહી શકશે નહીં, કારણ કે–સલ સાલ વિગેરે વિષયક જ્ઞાન દરેક પ્રાણીને પ્રતીત–પ્રસિદ્ધ છે. વિષયને અભાવ પણ કહી શકશે નહીં, કારણ કે એ વિષે પ્રશ્ન છે કે ભાવરૂપ વિષય નથી કે અભાવરૂપ વિષય નથી ? પ્રથમ કલ્પના માને તે-અસખ્યાતિના સ્વીકારને પ્રસંગ આવશે. બીજી કલ્પના માને તે સખ્યાતિ જ થઈ. અને જે ભાવરૂપ કે અભાવરૂપ એ બન્ને પ્રકારને વિષય નથી, એમ માને તે ભાવ અને અભાવ શબ્દથી, તમને ભાવ અને અભાવ એ બન્ને લેકપ્રસિદ્ધ માન્ય છે કે લાકમાં અપ્રસિદ્ધ અલૌકિક ? પ્રથમ પક્ષમાં જેમ બનેની એક સ્થળે વિધિ ન ઘટે, તેમ એક સ્થળે નિષેધ પણ ન ઘટે. કારણ કે–પરપર વિરુદ્ધ ધર્મોમાંથી એકને વિધિ કે નિષેધ તે બીજાના નિધિ કે વિધિ સાથે અવિનાભૂત (સહચર) છે. બીજા પક્ષમાં કોઈ જનની ક્ષતિ-હાનિ નથી, કારણ કે-હજારો અલૌકિક (લોકોત્તર) પદાર્થો નિવૃત્ત થઈ જવા છતાં લૌકિક જ્ઞાનના વિષયની નિવૃત્તિ, કે લૌકિક નિરુકિતની નિવૃત્તિ થતી નથી. નિઃસ્વભાવ પક્ષમાં “જૈન” અવ્યય નિષેધાર્થક હોઈ અને વાવ શબ્દ ભાવ કે અભાવ બેમાંથી એકને વાચક હોય તે પહેલાના જેવો જ દેષ આવશે. અને જે પ્રતીતિની અવિષયતા એ નિઃસ્વભાવતા હોય તે-વિરોધ આવશે. કારણ . કે–પ્રપંચ પ્રતીયમાન ન હોય તે પ્રપંચનું ધમી તરીકે અને પ્રતીય માનત્વનું હેતુ તરીકે ઉપાદાન-ગ્રહણ કઈ રીતે કર્યું ? અને ધમી તરીકે ઉપાદાન કર્યું તે અપ્રતીમાન કઈ રીતે થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy