SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ असांव्यवहारिक अने सांव्यवहारिक एटले शुं? १०३ કહ્યા મુજબ સૂક્ષ્મ–બાદર બે ભેદે છે એટલે જ્યારે સૂક્ષ્મ નિગોદમાં તેિ ચૌદરાજ લોકવત અસંખ્ય ગોળામાં વર્તતો હોય ત્યારે સાંવ્યવહારિક સૂક્ષ્મનિગોદીયો અને જ્યારે બાદર નિગોદ તિ લીલ ફૂલ આદિ તત્વાયોગ્ય વનસ્પતિ]માં હોય ત્યારે સાંવ્યવહારિક બાદરનિગોદીયો કહેવાય છે. આ સાદિસાત્ત સાંવ્યવહારિક સૂક્ષ્મનિગોદની કાયસ્થિતિનું પ્રમાણ કેટલું છે? તે કહે છે. સૂમ સાંવ્યવહારિક નિગોદની સ્થિતિ– સાંવ્યવહારિક સાદિયાન્ત સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ કાલથી અસૈખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ, [અથત તેમાંથી પ્રત્યેક ક્ષણે એક એક પ્રદેશ હરતાં જે સમય લાગે તે તેનો સમય અસંખ્ય કાળચક્રો જેટલો થાય અને અસંખ્ય કાળચક્રના સમયો અંગુલીપ્રમાણ આકાશ શ્રેણીમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે પ્રદેશો ગણત્રીએ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો જેટલા છે, કારણ કે કાળ કરતાં પણ ક્ષેત્રને વધારે સૂક્ષ્મ ગણ્યું છે. આ સ્થિતિ કેવળ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદાશ્રયી જાણવી અને ઓઘથી સાંવ્યવહારિક નિગોદની સ્િમ–બાદર વિવક્ષા વિનાની] સ્થિતિ પ્રથમ કહેવાઈ ગઈ છે. બાદર સાંવ્યવહારિક નિગોદની સ્થિતિ– હવે બાદર સાંવ્યવહારિક સાધારણ નિગોદ [વનસ્પતિની કાયસ્થિતિ કાલથી સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. અલ્પસ્થિતિપણાથી ક્ષેત્રની સ્થિતિ ઘટતી નથી. બાદર પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ ૭૦ કોટાનકોટી સાગરોપમની છે. અહીં પણ ક્ષેત્રગણના નથી. બાદર વનસ્પતિની એટલે બાદર પ્રત્યેક અથવા બાદર સાધારણ વનસ્પતિના ભેદ વિના બન્નેની ભેગી એટલે કેવળરામ કરવનસ્પતિની કાયસ્થિતિ વિચારીએ તો કાલથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત જેટલી વધી જાય, કારણ કે બાદર પ્રત્યેકથી બાદર સાધારણમાં, બાદર સાધારણથી બાદપ્રત્યેકમાં એમ વારંવાર જવા આવવાથી અઢી પુદ્ગલપરાવત સુધી બાદર વનસ્પતિમાં ભમે, ત્યારપછી સ્થાનાંતર થાય. સર્વની ઓઘથી કાયસ્થિતિ સમગ્ર એકેન્દ્રિયપણાની જાતિ તરીકે ઓઘથી કાયસ્થિતિ કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્ય પગલપરાવર્ત જેટલી અથવા આવલિકાના અસંખ્ય ભાગના સમયો જેટલી, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિક ચારની ઓઘથી પણ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ, બાદર પૃથ્યાદિક ચારની ઓઘથી ૭૦ કોટાનકોટી સાગરોપમ, બાદર પ્રત્યેકની ૭૦ કોટાનકોટી સાગરોપમની, બાદર સાધારણ નિગોદની પણ ઓઘથી ૭૦ કોટાનકોટી સાગરોપમની, સૂક્ષ્મ નિગોદમાં અનાદિઅનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક નિગોદની અનંતી અને અનન્ત પગલપરાવર્ત તથા અનાદિસાત્ત સ્થિતિવાળા અસાંવ્યવહારિક નિગોદની કાયસ્થિતિ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી પણ છેવટ મર્યાદિત તો ખરી અને સાંવ્યવહારિક સાદિસાન્તસ્થિતિવાળા સૂક્ષ્મ નિગોદોની અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy