SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નિકાયમાંથી આવેલો જાણવો. પ્રતિવાસુદેવની વાસુદેવવત્ ગતિ સમજવી. ચક્રવર્તીને આગળ કહેવાતા મહાસુખ–સંપત્તિદાયક ઉત્તમોત્તમ ચૌદ રત્નો પૈકી ચક્રાદિક સાત રત્નો એકેંદ્રિય સ્વરૂપે હોય છે, જ્યારે બાકીનાં પુરોહિતાદિ સાત રત્નો પંચેન્દ્રિયરૂપે છે. એ સાત પંચેન્દ્રિયમાં પુનઃ હસ્તિ અને અશ્વ એ બે રત્નો તિર્યચપણે હોય છે અને શેષ પાંચ રત્નો મનુષ્યપણે હોય છે. એ પાંચ મનુષ્યરત્નોરૂપે, સાતમી નરકમાંથી નીકળેલા જીવો, તેઉવાઉકાયના જીવો અને અસંખ્ય વર્ષ આયુષી તિર્યંચ મનુષ્યો (અનન્તરભવે) જન્મ લેતા નથી, કારણકે તેમને માટેની મનુષ્યભવ પ્રાપ્તિનો ૨૬૨ ગાથામાં જ નિષેધ કરાયો છે. તેથી તે વર્જીને શેષ દંડકોમાંથી પુરોહિતાદિ પાંચે પંચેન્દ્રિય મનુષ્યરત્નો [તથા મંડલિક રાજા પણ] રૂપે અવતરે છે. પરંતુ એટલું વિશેષ કે–જો વૈમાનિકમાંથી પાંચ મનુષ્યરત્નોરૂપે અવતરે તો અનુત્તરકલ્પ વર્જીને શેષ દેવલોકમાંથી જ સમજવા. હવે પંચેન્દ્રિયમાં શેષ હસ્તિ–અશ્વ બે તિર્યંચ રત્નોનો યથાસંભવ ઉપપાત એટલે કે જે દંડકમાંથી નીકળેલા તિર્યંચ પંચેન્દ્રિયો થતા હોય તે તે સ્થાનથી સમજવો, એટલે કે સાતે નરકથી, સંખ્ય વિષયુષી નર–તિર્યંચ તથા ભવનપતિથી લઈ સહસ્ત્રાર સુધીના દેવો તે રત્નરૂપે અવતરી શકે છે; કારણકે ત્યાં સુધીના દેવોની તિર્યંચને વિષે ગતિ પૂર્વે કહેવાયેલી છે. વળી ચક્રાદિ શેષ સાત એકેન્દ્રિય રત્નોરૂપે, સંખ્યવષયુષી તિર્યંચ, નર અને ભવનપતિથી લઈ ઇશાનકલ્પ સુધીના દેવો નિશે ઉત્પન્ન થઈ શકે છે, તેથી આગળના દેવા માટે તો ત્યાં ઉપજવાનો નિષેધ છે. [૨૬] . અવતા-હવે ચક્રવર્તીના ચૌદ રત્નોનાં નામ તથા પ્રત્યેકનું માન કહે છે. વામના 'વ, છત્ત કુદત્ય “મું | बत्तीसंगुल 'खग्गो 'सुवण्णकागिणि चउरंगुलिया ॥२६५॥ । चउरंगुलो दुअंगुल, पिहलो य मणी 'पुरोहि-गय-तुरया" ।। ''સેના દીવડું, “દર “ચી વરિયાડું રદ્દઘા સંસ્કૃત છાયાवामप्रमाणं चक्र, छत्रं दण्डो द्विहस्तकं चर्म । द्वात्रिंशदङ्गुलः खङ्गाः सुवर्णकाकिणी चतुरङ्गुलिका ॥२६५।। चतुरङ्गुलो द्वयफूलपृथुलश्च मणिः पुरोहितगजतुरगाः । सेनापतिर्गाथापतिर्वर्धकिः स्त्रीचक्रिरलानि ॥२६६।। શબ્દાર્થ વામન વામ પ્રમાણ વંદુંદડ ૐ ચંદ્ર કુહસ્થ બે હાથ છત્ત છત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy