SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ देवीओना गमनागमननी मर्यादा तथा उत्पत्तिस्थान - ३३६ અવતરણ–વિષયસુખના ઉપભોગાથે ગમન કરનારી દેવીઓના ગમનાગમનની મર્યાદા બતાવે. છે, તેથી તેનું ઉત્પત્તિસ્થાન પણ આવી જાય છે. उववाओ देवीणं, कप्पटुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नत्थि, अच्चुअपरओ सुराणंपि ॥१७०॥ સંસ્કૃત છાયાउपपातो देवीनां, कल्पद्विकं यावत् परतः सहस्त्रारात् । गमनाऽऽगमनं नास्ति, अच्युतपरतः सुराणामपि ॥१७०।। શબ્દાર્થ – ૩વેવાણો-ઉપજવું સમપISSમાં જવું આવવું કેવીf-દેવીઓનું નલ્પિ નથી અને વપદુi=બે દેવલોકને વિષે લઘુમપરોઅશ્રુતથી ઉપર ના પર સદસાર ઉપર સહસ્ત્રાર સુધી સુરાપરિ=દેવોનું પણ માથાર્થ-વિશેષાર્થવત્ ૧૭ી. વિશેષાર્થ– હવે દેવીઓનું ઉપજવું ભવનપતિથી માંડી સૌધર્મ–ઇશન એ બે દેવલોક સુધીમાં જ છે તેથી એ બધાએ દેવો દેવી સાથે પ્રવિચારી (સવિષયી) કહેવાય, બે દેવલોકથી ઉપરના દેવલોકમાં તેમની ઉત્પત્તિ નથી, તેથી તે સઘળા દેવો પોતાની સ્વદેવીઓથી રહિત ગણાય છે પરંતુ આઠમા સહસ્ત્રાર કલ્પ સુધી તો દેવીઓનું આવવું–જવું થતું હોવાથી (અને અય્યતાન્ત સુધી પ્રવિચારપણું રહેલું હોવાથી) તે સઘળા દેવો પ્રવિચારી–સવિષયી જાણવા. સહસ્ત્રારથી ઉપર દેવીઓનું ગમનાગમન નથી, ફક્ત અય્યતાન્ત સુધીમાં દેવોનું ગમનાગમન ય છે. અને અય્યતાન્તથી ઉપર તો દેવોનું પણ ગમનાગમન નથી; નીચે રહેનારને વધુ ઉપર જવાની શક્તિ નથી, અને ઉપરનાને શક્તિ છતાં નીચે આવવાનું પ્રયોજન નથી, નવરૈવેયક અને અનુત્તરવાસી દેવો અપ્રવિચારી છે. ત્યાં રહ્યાં થકા જિનેશ્વરના કલ્યાણક વગેરે પ્રસંગે નમસ્કાર કરે છે, પરંતુ (કલ્પાતીત) આચાર રહિત હોવાથી કલ્યાણક વગેરેના કોઈ પણ પ્રસંગમાં અહીં આવતા નથી, માત્ર અલ્પકષાયી ઉત્તમકોટિના તે દેવોને તાત્ત્વિકાદિ વિચારણામાં સંશય ઊભો થાય ત્યારે તેનું સમાધાન અવધિજ્ઞાન દ્વારા ભગવાને ગ્રહણ કરેલા (જવાબી૩૫) મનોદ્રવ્યોને સાક્ષાત જોઈને આવાં દ્રવ્યોનો આકાર આ જ જવાબરૂપે છે' આવું સમજી સમાધાન મેળવી લે છે. તેથી અહીં આવવાનું કોઈ પ્રયોજન નથી, અને તેથી તેઓ આપણી અપેક્ષાએ અનન્ત સુખી છે. [૧૭] અવતરણ–દેવલોકવર્તી કિલ્બિષિક તથા આભિયોગિક દેવોનાં આયુષ્ય તથા સ્થાનકો બતાવે तिपलिअ तिसार तेरस,-सारा कप्पद्ग-तइअ-लंत अहो । किबिसिअ न हुंतुवरिं, अच्चुअपरओऽभिओगाई ॥१७१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy