SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ गतिनी असत् कल्पना द्वारा एक राजनुं प्रमाण ૨૬૬ चत्तारिवि सकमेहि, चंडाइ गईहिं जाति छम्मासं । तहवि नवि जंति पारं, केसिंचि सुरा विमाणाणं ॥१॥ પ્રશ્ન- જ્યારે આવા મહત્ મહત્ પ્રમાણવડ છ છ માસ સુધી ચાલવા છતાં તે વિમાનના પ્રમાણને પાર પામી શકતા નથી, તો સિદ્ધાંતોના કથનાનુસાર–પરમ પુનિત સર્વ જીવોને અભયદાન આપનારા જિનેશ્વરદેવો વગેરેના, ચ્યવન–જન્મ–દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ એ પંચ કલ્યાણક પ્રસંગે સંખ્યાબંધ દેવો પૃથ્વીતલ ઉપર આવી કલ્યાણકની મહાન ક્રિયાઓને પતાવી પુનઃ એક બે પ્રહરમાં જ પાછા ચાલ્યા જાય છે. (રાત્રિએ આવી સવાર પડ્યે સ્વસ્થાને હાજર થઈ જાય છે.) એવો જે ઉલ્લેખ છે તે કેમ ઘટી શકશે? કારણકે તે તે વિમાનો કરતાં મનુષ્યક્ષેત્રમાં આવવામાં કેઇકગણું અંતરપ્રમાણ રહ્યું છે? ઉત્તર– ઉપર જે ગતિનું વર્ણન કરવામાં આવ્યું તેનું પ્રયોજન માત્ર અસંખ્યાતા યોજનનાં પ્રમાણોવાળાં વિમાનો કેવાં મહત્રમાણ સૂચક છે, તેનું અસત્કલ્પના દ્વારા દાંત આપી સમજાવવા પૂરતું જ છે. નહિ તો તે દેવો ક્યારે પણ માપવા નથી ગયા કે જવાના નથી, માત્ર જેમ પલ્યોપમની સ્થિતિના વર્ણન પ્રસંગે કલ્પના દ્વારા કાળની સિદ્ધિ કરાય છે તેમ અહીં પણ એક જાતની અસત્ કલ્પના જ કરી છે કે આ પ્રમાણે પણ ચાલવા માંડે તો તેઓ વિમાનના અંતનો કયારે પાર પામે ? તો જણાવ્યું કે-છ માસે. ત્યારે આપણને સહેજે વિચાર આવે કે એ વિમાનો કેટલાં મોટાં હશે? બાકી તો દેવો પોતાનાં વિમાનમાં જ કોઈકવાર ફરતા હશે. જો તેઓ ધારે તો જોતજોતામાં તે વિમાનનાં અન્તોને પામી શકે છે; કારણકે તેઓની શક્તિ અચિત્ત્વ છે, અત્યન્ત શીઘતર ગતિવાળા અને સામર્થ્યયુક્ત છે. [૧૨૫-૧૨૬] | | તિ વૈમાનિ વિનાનાધિકાર: || અવતરણ – હવે તવત્ પ્રાસંગિક ગતિની અસત્ કલ્પનાદ્વારા એક રાજનું પ્રમાણ દશવેિ છે. પરંતુ આ દૃષ્ટાંત ઘટમાન નથી. ગતિનો વેગ અને સમયની મર્યાદા જોતાં સંખ્યાતા યોજન જ મપાય તેમ છે. પછી અસંખ્યાતું રાજપ્રમાણ શી રીતે નીકળી શકશે ? એટલે આ ગાથા ઓઘથી રાજમાપ મહત્તાસૂચક સમજવી. પ્રથમવૃત્તિમાં આપી છે એટલે રદ નથી કરી. जोयणलक्खपमाणं, निमेसमित्तेण जाइ जे देवा । કમ્બાસે ય માં, 9 નું નિા વિતિ ૧૨૭ી [y. T. . ૩૬] સંસ્કૃત છાયા– योजनलक्षप्रमाणं, निमेषमात्रेण यान्ति ये देवाः ।। षण्मासेन च गमनम्, एकां रज्जु जिना ब्रुवन्ति ।।१२७।। શબ્દાર્થ – પ્રમાણં પ્રમાણ છHIMછ માસથી નિમૈસમિત્તેજનમેષમાત્રથી | રણુંએક રાજ પ્રમાણ ના જાય છે નિIT વિંતિજિનેશ્વરો બોલે છે ને કરવાથી જ માલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy