________________
अमेरिकादि पाश्चात्य देशोने महाविदेहक्षेत्र मनाय? ઉત્તર–પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વ સમુદ્રથી–પશ્ચિમ સમુદ્ર પર્વત લંબાઈ ૧૪૪૭૧૫ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં જાહેર તરીકે પ્રગટ થયેલા (એશિયાથી અમેરિકા સુધીના પાંચ ખંડો) પાશ્ચાત્ય દેશોનો સમાવેશ પણ ભારતના દક્ષિણાઈ વિભાગમાં હોવાનું યુક્તિપૂર્વક આપણે જણાવી ગયા છીએ. ઉચ્ચસ્થાન ઉપર યંત્રપૂર્વક ગોઠવાએલ ફરતો દીપક પ્રારંભમાં પોતાની નજીકનાં પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, એ જ દીપક યંત્રના બલથી જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળનાં ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પોતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત તે સ્થાનમાં રહેલા મનુષ્યોને સૂર્યનો પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરુની પ્રદક્ષિણાના ક્રમે ફરતો સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રોમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતો જોવાથી તે વખતે સૂર્યોદય થયો તેવો ખ્યાલ આવે છે. (જે વાત પૂર્વે કહેવાઈ ગઈ) અને એ જ કથનના હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશોમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત ૧૨–૧૦–કે ૮ કલાક, કિંવા ક્રમશઃ કલાક કલાકનું અંતર પડે તેમાં કોઈપણ પ્રકારનો વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશેષ વિચારીશું તો ચોક્કસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ કે પાલીતાણાદિ કોઈપણ વિવક્ષિત એકસ્થાનાશ્રયી દિવસનું પ્રમાણ બાર કલાક, તેર કલાક, ચૌદ કલાક કે તેમાંય ચૂનાધિક પણ ભલે રહે પરંતુ દક્ષિણાર્ધ ભરતના પૂર્વ છેડા ઉપર
જ્યારથી સૂર્યનો પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ સુધીના સૂર્યાસ્તના સમયકાળને ભેગો કરશું તો આઠ પ્રહર (અર્થાત્ ૨૪ કલાક) સુધી સમગ્ર ભરતક્ષેત્રના કોઈપણ વિભાગની અપેક્ષાએ ક્રમશઃ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈપણ પ્રકારનો બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યનો ઉદય–દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિક્ષેત્ર લગભગ સવાલાખ યોજન પ્રમાણ થાય ને કલાકના પાંચ હજાર યોજનના હિસાબે સૂર્ય:તિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી મંડળ પ્રકરણ ૪૬ વગેરે ગ્રન્થોમાં પણ એ જ કથનના નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે, તે પણ ઉપરની વાતને વધુ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં અમુક સ્થળે આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય લગભગ ૧૧ થી ૧૨ કલાક મોડો થાય છે, કારણકે સૂર્યને પોતાનો પ્રકાશ ત્યાં પહોંચાડતાં આપણી અપેક્ષાએ વિલંબ થાય છે, સૂર્ય પોતાનો પ્રકાશ વધારેમાં વધારે વિચ્છ શ્રેણીએ ભરત તરફ ૪૭ર૬૩ યોજન આપે છે. જ્યારે આ પાશ્ચાત્ય ૨૪૯, ૫૮મપદરજ્જાના, ગંતૂકવ િતોપાસેતુ
તબંતિ / સમયે, તદેવ સવ્યસ્થ નરનો રૂફ (टीक') पढ० । प्रथमप्रहरादिका उदयकालादारभ्य रात्रेश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते | भावना यथा भरते यदा यतः स्थानात् सूर्य उद्वेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोवासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमप्रहरः, केषाञ्चिद् द्वितीयप्रहरः, केषाञ्चित्तत्तीयः प्रहरः, क्वचिन्मध्यरात्र; क्वचित्सन्ध्या, एवं विचारणयाऽष्ट प्रहरसम्बन्धीकालः समकं प्राप्यते । तथैव नरलोके સર્વત્ર નવ્હીપતરોઃ સનત્તાનું સૂર્યમાળનાદપ્રહાન સંભાવને વિજ્યમ્ | ભાવાર્થ સુગમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org