SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ၃၃၀ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ३-संवत्सरना प्रत्येक रात्रि-दिवसोनी प्रमाण प्ररूपणा જ્યારે અને સૂર્યો સભ્યન્તરમંડળે દક્ષિણના તથા ઉત્તરના અર્ધમંડળોમાં હોય ત્યારે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તપ્રમાણ હોય છે, કારણકે ઉત્તરાયણકાળ પોષ માસથી શરૂ થઈ આષાઢમાસે છ માસ કાળ પ્રમાણ પૂર્ણ થવા આવે ત્યારે તે કાળ અંતિમ હદે પહોંચ્યો હોય છે અને સર્વબાહ્યમંડળના દ્વિતીય મંડળથી આરંભાતા ઉત્તરાયણકાળમાં (સૂર્ય જેમ જેમ સર્વ બાહ્યમંડળોમાંથી સભ્યન્તરમંડળોમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ) દિવસ ક્રમે ક્રમે વૃદ્ધિગત થતો જાય છે. અને આ સૂર્ય જ્યારે સભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે ઉત્તરાયણની સમાપ્તિનાં અંતિમ મંડળે આવી પહોંચ્યો કહેવાય છે, તેથી તે અંતિમ મંડળે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય તે સહજ છે. ત્યારબાદ સભ્યન્તરમંડળે આવી ચૂકેલા સૂય દક્ષિણાયનનો આરંભ કરતા સર્વબાહ્યમંડળ સ્થાન તરફ જવાની ઈચ્છાથી જેમ જેમ અન્ય અન્ય મંડળમાં ગતિ કરતા જાય તેમ તેમ નિરંતર ક્રમશઃ દિવસ ટૂંકાતો જાય, એટલે જ્યારે તે બને સૂર્યો સવભ્યિન્તરમંડળ ફરી નૂતનસંવત્સરને કરનાર દ્વિતીય મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે એક જ મંડળ આશ્રયી, સૂર્યની ગતિ વૃદ્ધિમાં એક મુહૂર્તના ભાગ મુહૂર્તનું દિનમાન ઓછું થઈ જાય, જ્યારે બીજી બાજુ સભ્યત્તરમંડળ જે રાત્રિનું પ્રમાણ હતું તેમાં તેટલી જ : ભાગ મુહૂર્તની પ્રથમ ક્ષણે વૃદ્ધિ થતી જાય [કારણકે અહોરાત્રનું સિદ્ધ ૨૪ કલાક–૩૦ મુહૂર્તનું જે પ્રમાણ તે તો યથાર્થ રહેવું જ જોઈએ], એ જ પ્રમાણે એ સૂર્ય જ્યારે નૂતન સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં અથવા તો સવભિન્તરમંડળની અપેક્ષાએ ત્રીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જાય ત્યારે ભાગ દિનમાન બીજા મંડળના દિનમાન પ્રમાણમાંથી પ્રથમ ક્ષણે ઘટે, [સભ્યન્તર' ભાગ મુહૂર્ત દિનમાન ઘટે જ્યારે રાત્રિ પ્રમાણમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય. આ પ્રમાણે પ્રત્યેક મંડળે સભ્યત્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણ દિનમાનમાંથી અથવા પૂર્વ પૂર્વ મંડળના દિવમાનમાંથી એક મુહૂર્તના એકસઠીયા બે ભાગ : ભાગની પ્રથમ ક્ષણે હાનિ થતાં થતાં અને તે પ્રમાણે પૂર્વ પૂર્વનાં રાત્રિ પ્રમાણમાં પ્રથમ ક્ષણે તેટલી જ (૨ ભાગ મુ0ની) વૃદ્ધિ થતાં થતાં, બને સૂર્યો જ્યારે જ્યારે તથા પ્રકારની એક ગતિવિશેષવડે અનન્તર અનન્તર મંડળોમાં ધીમે ધીમે આદિ પ્રદેશે થઈ, પ્રવેશ કરતાં સૂર્ય સંવત્સરમંડળની અપેક્ષાએ ૧૮૩માં મંડળમાં (સૂર્યસંવત્સર મંડળનો પ્રારંભ બીજા મંડળથી શરૂ થાય છે માટે સૂર્યસંવત્સરમંડળની અપેક્ષાએ ૧૮૪મું મંડળ તે ૧૮૩ મું ગણત્રીમાં આવે) અર્થાત્ સર્વબાહ્યમંડળમાં સવભિન્તરમંડળનો દક્ષિણવર્તી સૂર્ય ઉત્તરમાં અને ઉત્તરવર્તી સૂર્ય દક્ષિણમાં આવે ત્યારે પૂર્વે સવભિન્તરમંડળે જે ૧૮ મુહૂર્તનું દિનમાન હતું તેમાંથી એકંદર, ભાંગ મુહૂર્ત પ્રમાણ દિનમાન ઘટે. તે ભાગોના મુહૂર્ત કાઢવા ૩૬૬ ભાગને એકસઠ વડે ભાગતાં કુલ ૬ મુહૂર્ત પ્રમાણ દિનમાન સભ્યન્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણમાંથી ઘટી જવાથી ૧૨ મુહૂર્ત પ્રમાણે દિનમાન સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે હોય. એ પ્રમાણે પૂર્વોક્ત નિયમાનુસાર સભ્યન્તરમંડળનાં ૧૨ મુહૂર્ત રાત્રિ પ્રમાણમાં વધારો કરવાનો હોવાથી સૂર્ય સર્વબાહ્યમંડળે પહોંચે ત્યારે તેટલી જ ૬ મુહૂતપ્રમાણ વૃદ્ધિ સભ્યન્તર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy