SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ निषध अने नीलवंत पर्वत व्याघाताश्रयी अंतर ર૬ વ્યાસમાં જાડાઈમાં) ૧૫ખાસ ફેર પડતો નથી. આથી ત્યાં આગળ મેરુપર્વતની એક દિશા સન્મુખ ૧૧૨૧ યોજન દૂર તારામંડળનું પરિભ્રમણ હોય છે તેવી જ રીતે તેની પ્રતિપક્ષી (સામેની) દિશામાં પણ મેરુથી ૧૧૨૧ યોજન દૂર તારામંડળ પરિભ્રમણ કરે છે. બન્ને બાજનું ૧૧૨૧ યોજના અંતર અને વચલા મેરુની ૧0000 યોજનની પહોળાઈ એ ત્રણેનો સરવાળો કરીએ એટલે કે પૂર્વદિશાના તારાના સ્થાનથી પશ્ચિમદિશા સન્મુખ ૧૧૨૧ યોજન દૂર જઈએ ત્યારે મેરુ આવે, મેરુના પુનઃ ૧0000 યોજન વટાવીએ ત્યારબાદ ૧૧૨૧ યોજન બીજી બાજુએ (પશ્ચિમદિશા તરફ) જઈએ ત્યારે તારાઓનાં વિમાનો આવે. આ પ્રમાણે મેરુનું અને મેરુના બંને બાજુનાં અંતર પ્રમાણનો સરવાળો કરતાં ૧૨૨૪૨ યોજન પ્રમાણ અંતર મેરુની અપેક્ષાએ (વ્યાઘાતભાવી) એક તારાથી બીજા તારા વચ્ચેનું જાણવું. [૬૨] અવતાર – નિષધ અને નીલવંત પર્વત વ્યાઘાતાશ્રયી અંતરને કહે છે. निसढो य नीलवंतो, चत्तारि सय उच्च पंचसय कूडा । સદ્ધ કરે રિવા, પતિ મયંકુવાસણ [. T. ૪. ૦૪] સંસ્કૃત છાયાनिषधश्च नीलवान्, चत्वारि शतानि उच्चानि पञ्चशतानि कूटानि । अर्द्धमुपरि ऋक्षाणि, चरन्ति उभयत्राऽष्टबाहायाम् ॥६३।। શબ્દાર્થ – નિસો નિષધ પર્વત ૩=ઊંચો નીરવંતો નીલવંત પર્વત ૩મયર્દ બન્ને બાજુએ આઠ યોજનની વસ્તાર સન્ચારસો વાહાઈ વ્યાઘાત થાર્થ નિષધ અને નીલવંત પર્વતો ભૂમિથી ચારસો યોજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચાં નવ નવ શિખર–કૂટો છે. તે કૂટો ઉપરના ભાગમાં અઢીસો (૨૫૦) યોજન પહોળાં છે અને તે કૂટોથી આઠ આઠ યોજનની અબાધાએ નક્ષત્ર, તારાઓ વગેરે પરિભ્રમણ કરે છે. ૬૩ નિષધ–નીલવંત આશ્રયી વ્યાઘાત નિર્ણાઘાત અંતર ૪ વિરોષાર્થ– જંબૂદ્વીપના મધ્યવર્તી રહેલાં મહાવિદેહક્ષેત્રની એક બાજુએ નિષધ પર્વત આવેલો છે અને તે જ ક્ષેત્રની બીજી બાજુએ મહાવિદેહને સ્પર્શી રહેલો, તેની સીમા કરનારો નીલવંત પર્વત આવેલો છે. ૧૫૭. છતાં જેટલો ફેર પડે છે તે જાણવા માટે ગંડૂ૦, પ્રજ્ઞ૦, ક્ષેત્રફુ), તો આદિ ગ્રંથો જોવા. ૧૫૮. એક તારાથી બીજા તારાવિમાન વચ્ચે આટલું અંતર છતાં અહીંથી આકાશમાં જોઈએ તો એક બીજા તદ્દન નજીક નજીક દેખાય છે તે કેમ? એ આપણો દૃષ્ટિદોષ છે. દૂર રહેલી વસ્તુઓ સ્વરૂપે સ્વતઃ મોટી અંતરવાળી હોવા છતાં દૂરથી પાસે પાસે દેખાય છે. જેમ કોઈ એક ગામનાં વૃક્ષો કે મુકામો પરસ્પર દૂર હોવા છતાં દૂરથી તો જાણે એકબીજાને સ્પર્શીને જ રહ્યા ન હોય તેવાં જ લાગે છે, તો પછી ૭૯૦ યોજન દૂર રહેલી વસ્તુ પાસે પાસે દેખાય તેમાં શું આશ્ચર્ય ! ૧૭, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy