SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ – તિત્તીત્તેત્રીશ સળંડુંvસર્વ ઇન્દ્રોને તાતીસા–ત્રાયશિક દેવો વંતર–નો વ્યંતર તથા જ્યોતિષીના પરિતિમા–ત્રણ પર્ષદા તોગપIનાગોલોકપાલ દેવો ગળિયાબિ=કટક, સૈન્યો તાત્તિીસમાં ત્રાયશ્ચિંશક નામના દેવો સત્ત સત્ત-સાત સાત પ્રકારનું તિથી વિ-દેવો પણ ળિયાદિવસૈન્યના અધિપતિ સિં–તેમને નાથા–તેત્રીશ ત્રાયસિંશક દેવો, ત્રણ ત્રણ પર્ષદાઓ, ચાર ચાર લોકપાલ દેવો, સાત પ્રકારનું સૈન્ય, સાત સૈન્યના અધિપતિઓ એટલો પરિવાર સર્વ ઇન્દ્રોનો હોય, પરંતુ, વ્યંતર તથા જ્યોતિષીના ઈન્દ્રોને લોકપાલ દેવો તેમજ ત્રાયશિક નામના દેવો હોતા નથી. II૪૭–૪૮ વિરોષાર્થ-પૂર્વે દેવોના પ્રકાર વર્ણવ્યા હતા, પરંતુ સંખ્યાની વક્તવ્યતા કહી ન હતી, તે માટે હવે સંખ્યા કહે છે. “ત્રાયશ્ચિંશક નામના દેવો તેત્રીશ હોય છે, આ દેવોની સલાહ ઈન્દ્રમહારાજા પ્રસંગે પ્રસંગે લે છે. દરેક દેવલોકને વિષે બાહ્ય, મધ્યમ અને અત્યંતર એમ ત્રણ ત્રણ પર્ષદા એટલે કે સભાઓ હોય છે. આ પર્ષદાનાં નામો નિકાયવાર જુદાં જુદાં હોય છે. જે જે દેવસ્થાનમાં પર્ષદા છે તે તે પર્ષદા પૈકી પ્રત્યેક પર્ષદાના દેવો અને દેવીઓનું આયુષ્ય જુદું જુદું હોય છે. પ્રત્યેક ઇન્દ્રોના આવાસની ચારે બાજુ લોકપાલો હોય છે, એ લોકપાલોને પણ પર્ષદા હોય છે, તે તે લોકપાલના વિમાનો નીચે જ તિચ્છલોકમાં પોતપોતાના નામની તેમની નગરીઓ પણ આવેલી છે. તેમનાંવિમાનોનું પ્રમાણ પંક્તિબદ્ધ વિમાનોથી અધું હોય છે. વળી સામાનિક વગેરે દેવોનો પણ પરિવાર છે. આ લોકપાલોનાં નામ અન્ય નિકાયવર્તી જુદાં જુદાં હોય છે, આયુષ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે તેવી જ રીતે પૂર્વે કહેલું તે તે સાત પ્રકારનું સૈન્ય દરેક ઇન્દ્રને હોય છે. અને પ્રત્યેક નિકાયના કટકના સાત સાત સેનાપતિઓ પણ હોય છે, તેનાં નિકાયવાર જુદાં જુદાં નામો છે. આ પ્રમાણે ઉપર કહેલો પરિવાર સર્વ ઇન્દ્રોને સામાન્યથી કહ્યો. પરંતુ એટલું વિશેષ સમજવું કે વ્યંતરેન્દ્રો તથા જ્યોતિષીના ઇન્દ્રોને લોકપાલ તથા ત્રાયશ્ચિંશક દેવો હોતા નથી. ૪૭–૪૮ (પ્ર. ગા. સં. ૧૦–૧૧) उपसंहारइति व्यन्तराणां सुराणां-सुरायु-नगर्यो वपुर्वस्त्रवर्णादिव्याख्या । अपि व्यंतरेन्द्रात्मसंरक्षकाणां, तथा सप्तसैन्याधिपानां च संख्या ॥१॥ [इति संग्रह लोकः] | | તિ પ્રસ્તુતમવનદારે પ્રવીછધવાર: સમાપ્ત: || ૧૨૮. આ દેવોનાં સ્વરૂ સ્થાનાશ્રયી વર્તતાં નામો ત્રણે કાલમાં શાશ્વતાં (એકસરખાં) હોય છે. પર્ષદાનું વિસ્તારથી વર્ણન શ્રી જીવાભિગમાદિથી જાણવું. ૧૨૯ સરખાવો. તત્વાર્થવતા –“ત્રાáિાનોપાત્તવન યંતળ્યોતિશાદ' | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy