SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ इन्द्रने त्रायस्त्रिंशक वगेरे देवो केटला होय? ૧૦૩ શિયાળિ સૈન્યો–કટકો વસહી વૃષભ સબાપસર્વ ઇન્દ્રોનું મહિસા=પાડા માળિયાન વૈમાનિકને ઉદનિવાસીvi–અધોનિવાસી ભવનપતિ વ્યંતરનું માથાર્થ— વિશેષાર્થ મુજબ. |૪૬ વિશોષાર્થ–દેવલોકની ચાર નિકાય પૈકી ત્રણ નિકાયોમાં સાત પ્રકારનું કટક—સૈન્ય છે અને જ્યોતિષીને છ પ્રકારનું કટક છે, તેમાં પહેલો પ્રકાર ગંધર્વનો છે. બીજા પ્રકારમાં નૃત્ય કરનારા દેવોનું સૈન્ય, ત્રીજા પ્રકારમાં અશ્વરૂપ સૈન્ય, ચોથા પ્રકારમાં ગજો (હાથીઓ)નું સૈન્ય, પાંચમું રથ સૈન્ય અને છઠું પાયદળ સૈન્ય; આ છ પ્રકારનું સૈન્ય તો જાણે સામાન્યથી સર્વ ઇન્દ્રોને હોય છે. તેમાં પણ વૈમાનિકનિકાયવર્તી ઇન્દ્રોને સાત પ્રકારનું સૈન્ય હોવાથી તેમને સાતમું વૃષભનું સૈન્ય અધિક હોય છે અને અધોલોકવાસી ભવનપતિ તથા વ્યંતરેન્દ્રોનો સાતમો પ્રકાર મહિષ (પાડા)ના સૈન્યનો છે. ફક્ત જ્યોતિષીના ઇન્દ્રોને છ પ્રકારનું સૈન્ય હોય છે. શંકા–ઈન્દ્ર મહારાજાને વળી સૈન્યની જરૂર શી ? સમાધાન– જેમ રાજા સમર્થ હોય છતાં શત્રના પરાભવમાં સૈન્યની સહાય હંમેશાં જરૂરી છે, તેમ ઈન્દ્રમહારાજા ભલે સમર્થ હોય તથાપિ દેવલોકમાં દેવાંગનાદિનાં અપહરણને અંગે થતાં ભયંકર યુદ્ધોના પ્રસંગે આ સૈન્યની જરૂર પડે છે. શંકા–દેવ ગમે તે પ્રકારના ચહાય તે રૂપ કરવા શક્તિમાન છે, પછી અમુક પ્રકાર રાખવાનું પ્રયોજનશું? સમાધાન–એક રાજાના રાજ્યમાં ગંધર્વો, નટો, ગજ-હાથી, અશ્વાદિ સર્વ હોય, પરંતુ લડાઈ પ્રસંગે તો રાજાના જે અશ્વ, ગજાદિ હોય એ જ ઉપયોગમાં લઈ શકાય છે. કંઈ શેઠિયાઓના કે અન્યના ઘોડા લડાઈમાં ઉપયોગી થતા નથી, માટે સૈન્યને અંગે સ્વતંત્ર દેવોની જરૂર અવશ્ય જોઈએ, અને તેથી શીઘ્ર ઉપયોગી પણ થઈ શકે. [૪૬] (પ્ર. ગા. સં. ૯) અવતરણ–પ્રત્યેક ઇન્દ્રને ત્રાયશ્ચિશક વગેરે દેવોની કેટલી સંખ્યા હોય ? તેની પ્રરૂપણા કરે છેतित्तीस तायतीसा, परिसतिआ लोगपाल चत्तारि । अणियाणि सत्त सत्त य, अणियाहिव सबइंदाणं ॥४७॥ [प्र. गा. सं.१०] नवरं वंतर-जोइस, इंदाण न हंति लोगपालाओ તાયરીમહાપ, તિલસા વિ ષ તૈહિં ન દુ હૃતિ Isl [ . . 99] સંસ્કૃત છાયાत्रयस्त्रिंशत् त्रायस्त्रिंशकाः, पर्षत्रिकः लोकपालाश्चत्त्वारः । अनीकानि सप्त सप्त च, अनीकाधिपाः सर्वेन्द्राणाम् ॥४७॥ नवरं व्यंतर-ज्योतिषेन्द्राणां, न भवन्ति लोकपालाः । त्रायस्त्रिंशाभिधानाः, त्रिदशा अपि च तेषां न भवन्ति ॥४८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy