SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સભાગ-ભાષાંતર ૨૦૫ શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ: શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર. નવમો અધ્યાય - નવમો અધ્યાય પાણીની ટાંકી સાફ કરવાની તીવ્ર તમન્ના હોય. તે માટે નીચેનો નળ ખૂલ્લો પણ કરી દેવામાં આવે.. કેમકે, ટાંકી ખાલી ન થાય તો વ્યવસ્થિત સાફ ન થઈ શકે. એક તરફ ટાંકી ખાલી કરવા નીચેનો નળ ખૂલ્લો મૂકી દીઘો છે. અને બીજી તરફ. જ્યાંથી પાણી ટાંકીમાં પ્રવેશતું હોય તેવો ઉપરનો નળ.. જે બંધ કરવો રહી જાય. કે ઉપરનો નળ બંધ ન કરે તો ...!! ટાંકી ક્યારે ય ખાલી થાય...? ના... કયારે ય નહિ. કેમકે, જેમ નીચેથી પાણીનું નિર્ગમન ચાલું છે. તેમ ઉપરથી આગમન પણ ચાલુ જ છે. જેથી ટાંકીમાં પાણી તો અવશ્ય રહેવાનું જ... પણ ખાલી થવાની નહિ. તે પ્રમાણે. એક તરફ આથવરૂપે કર્મ આવ્યા જ કરે... અને બીજી તરફ ઉદયરૂપે ભોગવાતા જ જાય... તો કયારે ય આત્મા સકલકર્મથી મુફત બની શકે ખરો. ? ના... ઉદય ચાલું છે તે યોગ્ય છે... પરંતુ આશ્રવ તો અટકાવવો જ પડે... તો જ ઉદય વગેરે દ્વારા કર્મક્ષય કરી આત્મા મુફત બની શકે. માટે મુક્ત થવા માટે અટકાવવાની ક્રિયા એ મુખ્ય છે. બસ, અહીં ગ્રન્થકારથી આ અધ્યાયમાં અટકાવવાની ક્રિયાને પમાં તત્વ તરીકે “સંવર' નામ આપી વર્ણન કરે છે. સૂત્રમ્- મwવનિ: સંવ૬:૨-શા અર્થ- આથવનો નિરોધ (અટકાવ) તે સંવર. भाष्यम्- उक्तो बन्धः, संवरं वक्ष्यामः । અર્થ- બંધ કહ્યો હવે સંવર કહીશું... भाष्यम्- यथोक्तस्य काययोगादेर्द्विचत्वारिंशद्विधस्याश्रवस्य निरोध: संवरः ॥१॥ અર્થ- યથોત કાયયોગાદિ બેંતાલીસ પ્રકારવાળા આશ્રવની (અ. ૬- સૂ. ૬- “અવ્રતકષાયેન્દ્રિય.” ના ૩૯ + ૩ = ૪૨) નિરોધ તે સંવર કહેવાય. /૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy