SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૫ મૂળ ઋજુસૂત્રનય છે. વર્તમાન ક્ષણે સર્વ હોય છે એટલે ઉત્પન્ન થયેલું છે. પ્રતિ ક્ષણે પૂર્વપૂર્વ ક્ષણનાનાશ અને ઉત્તર-ઉત્તર ક્ષણની ઉત્પત્તિથી એ ઉત્પાદ જ વસ્તુનું લક્ષણ છે. એટલે ઉત્પન્નાસ્તિકમાં ઉત્પન્ન એ.વ., કિં.વ., અને બ.વ એમ સત અને અનુત્પન્નમાં અનુત્પન્ન એ.વ., દ્વિવ, બ.વ. એ અસત્ છે. પુદગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, તમ:, છાયા એ ઉત્પાદ લક્ષણવાળા છે તે સત્ છે. નથી ઉત્પન્ન થતા તે અસત્ છે. ધર્મ, અધર્મ, આકાશનું પણ ગતિ સ્થિતિ અને અવગાહન કરનાર પ્રતિક્ષણે ગતિસ્થિતિ અવગાહ કરે છે. તે એનો ઉત્પાદ છે. એજ એનો વર્તમાન ક્ષણ સતુ છે, એજ પર્યાયાસ્તિકે ઉત્પન્ન- ઋજુસૂત્રનથી. ગર્વેિડનુપની વિવક્ષિત અપેક્ષાએ કમપૂર્વક અસ્તિનાસ્તિ યુગપદ્ વાચ્ય નથી. એટલે આત્મતત્ત્વાદિ સત્ કે અસત્ એક સાથે કહી શકાશે નહિ. એટલે એને સમભંગીનો અવકતવ્ય ભાંગો જાણવો. જે ઉપર આગળ આવી ગયો છે. પર્યાયપ્તિસ્ય પર્યાયાસ્તિકના એક સદ્ભાવપર્યાયમાં, બે સદ્ભાવપર્યાયમાં કે ઘણાં સદ્ભાવપર્યાયમાં એક-બે કે ઘણાં દ્રવ્યો સત છે. (સમભંગીનો પહેલો ભાગો) અસદ્ભાવપર્યાયમાં એક વ, દ્વી.વ., અને બ.વ.માં અપેક્ષિત એક-બે કે ઘણાં દ્રવ્યો અસત્ છે. (સમ ભંગીનો રજે ભાંગો) ત૬મયપર્યાયેવા ઉભય એટલે સદસદ્ભાવ ઉભયપર્યાય એ.વ, દ્ધિ.વ. અને બ.વ.માં અપેક્ષિત એક બે કે ઘણાં દ્રવ્યો સત્ કે અસત્ ન કહી શકાય (ન કહેવાય.) (આ સમ ભંગીનો ત્રીજો ભાગ અવકતવ્ય.) આ ત્રણ ભાગા સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ સકલાદેશ કહ્યા છે. એ દ્રવ્યને આશ્રયી છે. હવે પર્યાયને આથયિને વિકલાદેશના ચાર ભાંગા છે. ટેશન-સકલાદેશ અને વિકલાદેશથી બાકીના ભાંગા કરી લેવા. ૪ થો ભાંગો – ૧ લો અતિ અને રજે નાતિ એમ બેના સંયોગથી ચોથો ભાંગો અસ્તિનાસ્તિ, ૫ મો ભાંગો - ૧ લો અને ૩જાના સંયોગ થી પાંચમો – અસ્તિવિકતવ્ય, ૬ કો ભાંગો – રજા અને ૩જા ના સંયોગથી ૬ ઠો- નાસ્તિવિકતવ્ય, ૭મો ભાંગો - ૧ લો, ૨ જે, ૩જે ના સંયોગથી ૭મો અસ્તિનાસ્તિવિકતવ્ય. અહીં પહેલા ત્રણ ભાગમાં બધા દ્રવ્યો કહેવાય છે અને ૪થા આગળ અંશ-અંશની અપેક્ષાએ કહેવાય છે માટે દેશાદેશન' એ શબ્દ વાપર્યો છે. દ્રવ્યોનાં અનેક પર્યાયો છે. તે એક અગર બીજી અપેક્ષાએ સિદ્ધ કરી શકાય છે. સત, અસતુ, નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્માત્મકદ્રવ્યો છે. સંખ્યા પરિમાણ,આકાર આદિ પર્યાયની અપેક્ષાએ સતુ-અસત, નિત્ય-અનિત્ય આદિ સ્વભાવ થાય છે. એ પ્રમાણે સત-અસત, નિત્ય-અનિત્ય આદિ સ્વભાવવાળું જગત પંચાસ્તિકાયાત્મક છે. તે અર્પિત અનર્પિત લક્ષણ સકલશાસ્તગર્ભ (રહસ્ય) ત્રિસૂત્રીના પ્રકરણથી સ્યાદ્વાદપ્રક્રિયા સંગત થાય છે. એજ મર્પિતાનર્પિત સિદ્ધ IIII भाष्यम्- अत्राह-उक्तं भवता 'संघातभेदेभ्यः स्कन्धा उत्पद्यन्त' इति, तत्किं संयोगमात्रादेव संघातो भवति ?, आहोस्विदस्ति कश्चिद्विशेष इति?, अत्रोच्यते, सति संयोगे बद्धस्य संघातो भवतीति। અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આપશ્રીએ (અ. ૫ -સૂર૬ માં) કહ્યું છે કે સંઘાતભેદથી સ્કન્ધો ઉત્પન્ન થાય છે. તો તે શું સંયોગ માત્રથી સંઘાત થઈ જાય છે ? અથવા બીજો કોઈ વિશેષ છે એમાં ? (ઉત્તરકાર) સંયોગ હોતે છતે એકત્વપરિણતિવાળાનો સંઘાત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy