________________
સૂત્ર-૨૪
સભાખ્ય-ભાષાંતર
૧૩૫
भाष्यम्- संस्थानमनेकविधम्दीर्घह्रस्वाद्यनित्थंत्वपर्यन्तम् । અર્થ- આકાર અનેક પ્રકારે છે. તે દીર્ઘ, હસ્વ આદિથી માંડીને અનિત્યન્ત સુધી જાણવા. (અનિત્યુત્ત્વ એટલે વ્યવહારમાં પ્રચલિત સંસ્થાનમાંથી કોઈપણ રીતે ન કહી શકાય તે અનિત્થ. જીવ સમ્બન્ધિ સમચતુરસાદિ છ સંસ્થાન છે. તે અહીં લેવાના નથી. આ [દીઘદિ] પુગલના સંસ્થાન છે. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત, (દીર્ઘ) અને પરિમંડલાકાર આમાનાં કોઈપણ આકારની સાથે ન સરખાવી શકાય તે અનિત્થત્વ જેમકે, વાદળ. સંસ્થાન = રચના વિશેષ.)
भाष्यम्- भेदः पञ्चविध: औत्कारिक: चौर्णिकः खण्डः प्रतरः अनुतट इति । અર્થ- ભેદ પાંચ પ્રકારે છે. (૧) ઓત્કારિક (-ઘસારાથી જે છૂટું પડે તે ઔત્કારિક ભેદ. જેમ ચંદનાદિ ઘસવાથી.) (૨) ચૌર્ણિક (ભૂક્કો થઈ જાય છે. જેમકે આટો, ચૂર્ણ). (૩) ખંડ (ટૂકડા થઈ છૂટા પડે છે. જેમકે, પત્થર વગેરે) (૪) પ્રતર (પડ છૂટા પડે છે. જેમકે, અબરખના પડ) (૫) અનુતટ (છોલવા વડે કરી છૂટું પડે છે. જેમકે, વાંસ, શેરડીના છોતરાં વગેરે)
भाष्यम्- तमश्छायातपोद्योताश्च परिणामजाः । सर्व एवैते स्पर्शादयः पुद्गलेष्वेव भवंतीत्यतः પુક્તાસ્તદન્તઃ | અર્થ- અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત પરિણામથી થયેલ છે. આ બધા જ તેમજ સ્પર્ધાદિ પુગલમાં જ હોય છે. તેથી પુદ્ગલ તે વાળું' કહેવાય છે.
भाष्यम्- अत्राह-किमर्थं स्पर्शादीनां शब्दादीनां च पृथक्सूत्रकरणमिति ?, अत्रोच्यते- स्पर्शादय: परमाणुषु स्कन्धेषु च परिणामजा एव भवन्ति । शब्दादयस्तु स्कन्धेष्वेव भवन्त्यनेकनिमित्ताश्चेत्यत: पृथक्करणम् ॥२४॥ અર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે સ્પર્ધાદિનું અને શબ્દાદિનું (૨૩-૨૪ એમ બે) સૂત્ર જુદુ મૂકવાનું કારણ શું ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં– (૨૩ માં સૂત્રવાળું) સ્પર્શાદિ પરમાણુ અને સ્કન્ધ એમ બંનેમાં હોય છે. એટલે સર્વપુદ્ગલોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય જ.) જ્યારે (૨૪ માં સૂરવાળું) શબ્દાદિ માત્ર સ્કન્દમાં જ હોય છે અને તે અનેક નિમિત્તવાળા હોય છે. (એટલે સર્વસ્કન્ધમાં હોય છે- એમ નહિ માનવું. પરંતુ કોઈકમાં હોય-કોઈકમાં ન હોય.) રજા
भाष्यम्- त एते पुद्गलाः समासतो द्विविधा भवन्ति, तद्यथाઅર્થ- ટૂંકમાં- તે પુગલો બે પ્રકારે છે. તે આ રીતે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org