SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૪ सिद्धाः सर्वे चैषामभ्युदयार्थाः सिद्धा इति सर्वार्थसिद्धाः । विजितप्रायाणि वा कर्माण्येभिरुपस्थितभद्राः परीषहैरपराजिताः सर्वार्थेषु सिद्धाः सिद्धप्रायोत्तमार्था इति विजयादय इति ॥२०॥ અર્થ- અનુત્તરો પાંચ દેવનામવાળા જ વિમાનો છે. સ્વર્ગ (પ્રાપ્ત થવાના) વિધ્ધ હેતુઓ જીત્યાં છે જેણે તે વિજય-વૈજયન્ત અને જયન્ત (દવા), તે વિઘ્નહેતુઓથી જે પરાજય નથી પામ્યા તે અપરાજિત (દવા), સર્વ પ્રકારની ઉન્નતિ, પ્રસિદ્ધિ પામી ચૂકેલા અને સર્વપદાર્થની સિદ્ધિવાળા તે સર્વાર્થ સિદ્ધો (દેવો.) તમામ જેના અભ્યદયરૂપ અર્થો સિદ્ધ થયા છે જેમને તે સર્વાર્થ, સર્વાર્થસિદ્ધો. અથવા, કને પ્રાયઃ જીતી લીધા છે અને તેથી ભદ્ર થયેલા છે. વળી પરિષહોને જીતેલા છે. (આગળ ભવમાં સાધુપણામાં અને આ ભવમાં ક્ષત્પિપાસા નથી હોતા) અને સર્વ અર્થમાં સિદ્ધ થયેલા છે એટલે જેના અર્થો પ્રાયઃ સિદ્ધ થયા છે. તેથી તે વિજયાદિ. પારના सूत्रम्- स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिकाः ॥४-२१॥ અર્થ- સ્થિતિ, પ્રભાવ, સુખ, પ્રકાશ (તેજ), વેશ્યા વિશુદ્ધિ, ઈન્દ્રિયની પટુતા, અવધિ-ઈત્યાદિના વિષયથી અધિક-અધિક ઉપરના દેવોને હોય છે. भाष्यम्- यथाक्रमं चैतेषु सौधर्मादिषूपर्युपरि देवा: पूर्वतः पूर्वत एभिः स्थित्यादिभिरथैरधिका भवन्ति। तत्र स्थितिः-उत्कृष्टा जघन्या च परस्ताद्वक्ष्यते, इह तु वचने प्रयोजनं येषामपि समा भवति तेषामप्युपर्युपरि गुणाधिका भवतीति यथा प्रतीयेत । प्रभावतोऽधिकाः, य: प्रभावो निग्रहानुग्रहविक्रियापराभियोगादिषु सौधर्मकाणां सोऽनन्तगुणाधिक उपर्युपरि, मन्दाभिमानतया त्वल्पतरसंक्लिष्टत्वादेते न प्रवर्तन्त इति । क्षेत्रस्वभावजनिताच्च शुभपुद्गलपरिणामात्सुखतो द्युतितश्चानन्त गुणप्रकर्षणाधिकाः । लेश्याविशुद्ध्याधिका:, लेश्यानियमः परस्तादेषां वक्ष्यते, इह तु वचने प्रयोजनं यथा गम्येत यत्रापि विधानतस्तुल्यास्तत्रापि विशुद्धितोऽधिका भवन्तीति, कर्मविशुद्धित एव वाऽधिका भवन्तीति ।। અર્થ- અને અનુક્રમે આ (ઉકત) સૌધર્માદિ ઉપર-ઉપરના દેવો પૂર્વ-પૂર્વથી (પહેલા પહેલા કરતાં) આ (સૂત્રોકત) સ્થિતિ આદિ પદાર્થો વડે અધિક-અધિક હોય છે. તેમાં સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય આગળ (સૂ. ર૯-૪રમાં) કહેવાશે. પરંતુ અહીં કહેવાનું પ્રયોજન એ છે કે જેમની પણ સરખી (સ્થિતિ) છે-તેમની પણ ઉપર ઉપરમાં ગુણથી અધિક-અધિકપણું છે. તેમ જાણવું. પ્રભાવ (એટલે અચિત્ય શક્તિ) થી અધિક અધિક (ઉપર ઉપરના દેવોની હોય છે.) જે પ્રભાવ-શિક્ષા (કરવી-શ્રા૫), કૃપા(કરવી-આર્શીવાદ) વૈક્રિયશરીરથી (વૈક્રિય શરીર રચવાની શકિત) બીજા પર હુમલો કરવાની શક્તિ આદિમાં સૌધર્મ દેવલોકના દેવોની શક્તિ (પ્રભાવ) કરતાં અનન્તગુણ અધિક ઉપર ઉપરમાં હોય છે. મન્દ અભિમાનપણાથી અને અલ્પતર સંકિલષ્ટતા હોવાથી તેઓ (ઉપર-ઉપરના દેવો) (ખાસ). પ્રવૃત્તિ કરતાં નથી. -ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન થયેલા શુભપુલના પરિણામ વડે સુખથી અને પ્રકાશ (તેજ) થી અનન્તગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy