________________
અનુભવ ઉત્સાહદશા જૈસો નિરભેદરૂપ, નિચે અતીત હતો, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગઢંગી ! દીસે કર્મ રહિત સહિત સુખ સમાધાન,
પાયો નિજથાન ફિર બાહરિ ન બâગો ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! હે બોધસ્વરૂપ ! હે જોગેશ્વર ! આ આત્મા એટલે કે જ્ઞાનધારા અને શરીર એટલે કર્મધારા, એક વખતે એકમેક હતી તે હવે હમેશાં જુદી રહે. હે પ્રેમપેજ ! હે દેવાધિદેવ ! આપની કૃપાથી હું કમરહિત થવા લાગ્યો છું. કૃપાનાથ ! આપે મને મારા સ્વભાવનું સમાધિસુખ આપેલ છે. નિજસ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. હવે આ આત્મા બહાર પરભાવમાં ન વહી જાય એ આશિષ આપજો.
કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગâગૌ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ,
યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ. હે પુરાણપુરુષ ! હે અનંત શક્તિવાન ! આજે આ પત્ર દ્વારા આપમાં રહેલી ઈશ્વરી શક્તિનો સંચાર આપે આ આત્મામાં કર્યો. એ શક્તિના સથવારે, અટળ અનુભવ સ્વરૂપ આ આત્માને સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ન્યારો રહેવાનો હું પુરુષાર્થી થઉં છું. આત્મલક્ષ છોડી રાગ રસમાં રાચીને ક્યારેય કદાપિ પરવસ્તુને ન ગ્રહું. નિશ્ચયથી આ અમલાન, પવિત્ર સ્વભાવ પ્રત્યક્ષ વિદ્યમાન પ્રગટ સન્મુખ થયો છે તે તેવો જ અનાગત અનંતકાળ સુધી રહેવાનો છે. આપ ધિંગો ધણી માથે છો માટે હવે કોઈ ફિકર રહી નથી.
સ્થિતિ દશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દવ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દવ કબહૂ ન કરે,
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; હા ! બે દ્રવ્યો એટલે આ આત્મા અને શરીર. આત્મા એટલે ચૈતન્ય અને શરીર
૨૬૧
... સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Person Private Use Only
www.jainelibrary.org