SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ ઉત્સાહદશા જૈસો નિરભેદરૂપ, નિચે અતીત હતો, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગઢંગી ! દીસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બâગો ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! હે બોધસ્વરૂપ ! હે જોગેશ્વર ! આ આત્મા એટલે કે જ્ઞાનધારા અને શરીર એટલે કર્મધારા, એક વખતે એકમેક હતી તે હવે હમેશાં જુદી રહે. હે પ્રેમપેજ ! હે દેવાધિદેવ ! આપની કૃપાથી હું કમરહિત થવા લાગ્યો છું. કૃપાનાથ ! આપે મને મારા સ્વભાવનું સમાધિસુખ આપેલ છે. નિજસ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. હવે આ આત્મા બહાર પરભાવમાં ન વહી જાય એ આશિષ આપજો. કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગâગૌ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ. હે પુરાણપુરુષ ! હે અનંત શક્તિવાન ! આજે આ પત્ર દ્વારા આપમાં રહેલી ઈશ્વરી શક્તિનો સંચાર આપે આ આત્મામાં કર્યો. એ શક્તિના સથવારે, અટળ અનુભવ સ્વરૂપ આ આત્માને સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ન્યારો રહેવાનો હું પુરુષાર્થી થઉં છું. આત્મલક્ષ છોડી રાગ રસમાં રાચીને ક્યારેય કદાપિ પરવસ્તુને ન ગ્રહું. નિશ્ચયથી આ અમલાન, પવિત્ર સ્વભાવ પ્રત્યક્ષ વિદ્યમાન પ્રગટ સન્મુખ થયો છે તે તેવો જ અનાગત અનંતકાળ સુધી રહેવાનો છે. આપ ધિંગો ધણી માથે છો માટે હવે કોઈ ફિકર રહી નથી. સ્થિતિ દશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દવ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દવ કબહૂ ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; હા ! બે દ્રવ્યો એટલે આ આત્મા અને શરીર. આત્મા એટલે ચૈતન્ય અને શરીર ૨૬૧ ... સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Person Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy