________________
શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હિન,
તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન.” મહાપ્રભુજી, પરમપુરુષ, કૃપાળુનાથ, દેવાધિદેવ, તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં. શ્રી મુંબાઈ બંદર.
શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત પામરમાં પામર સેવક સોભાગ લલ્લુભાઈનું પાએલાગણું વાંચશોજી.
આપનો કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી. અને એક આપનો જ આધાર છે. સહજાત્મસ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સકારો (સ્વીકારો) તે ખરું. હું પામર અજાણ છું કાંઈ જાણતો નથી. પણ યાદ આવવાથી પરમારથ (પરમાર્થ) અર્થે લખું છું કે અંબાલાલ આપના શિષ્ય ઘણાં વર્ષનો સમાગમવાળો છે. અનુભવવાળા છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી. તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહીં તો આપને યોગ (યોગ્ય) લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અને આવ્યાથી મને સુવાણ હોય તો હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશો. આટલું મેં પરમારથ (પરમાર્થ) અર્થે લખું (લખ્યું) છે. તો આપને યોગ (યોગ્ય) ન લાગે તો માફ કરશો. હું માફી માગું છું. બીજું આત્મસિદ્ધિશાસ્ત્રના અર્થ નહિ સમજાય તેવા કોઈ હશે તો અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. એ જ હે કૃપાનાથ કૃપા છે તેવી રાખજો. આ સેવકને એક આપનો જ આધાર છે.
ભાઈ સોભાગભાઈના શરીરે તાવ આવે છે તેમને તેમ આવે છે. દન ર થયાં પેટમાં ગાંઠનો દુ:ખાવો થાય છે તેમ દન ૨ થયા બિલકુલ ખવાતું નથી. અને બે વખત ર-૪ રૂપિયા ભાર રાબ પિવાય છે. શક્તિ સાવ ઘટી ગઈ છે. ખાટલામાંથી નીચે ઊતરી શક્તા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે. અશક્તિના લીધે ઘણી વખત શ્રમ પહોંચી જાય છે. એ રીતે છે. આપને જાણવા લખું છું.
ભાઈ મનસુખભાઈને માલૂમ થાય જે બેન જીજીબા સાથે ધોતિયું ૧ તથા છત્રી મોકલી છે તે પોત્યા (પહોંચ્યાં) હશે. એ જ ત્રંબક, મણિ, લહેરાભાઈ, ચબુબા વિગેરે
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૨૦૩
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org