________________
અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.
વ. પત્રાંક - ૫૮૭
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?' એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે :
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને “કેવળજ્ઞાન” કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.
પત્રક - ૧૯
સંવત ૧૫૧ વૈશાખ સુદી ૧, સુકરવાર (શુક્રવાર) પ્રેમ પૂજ્ય તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર.
શ્રી મોરબીથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશો. આપનો કૃપા પત્ર હાલમાં નથી તો લખવા કૃપા કરશો. અહીં મારે પેલી તારીખની મુદત છે તો ત્યાં સુધી રહ્યા વિના છૂટકો નથી અને મુદતે કામનો બંધ વળી જાશે
૧૫૪
» Æયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org