SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રાંક ૨૫૮માં મોક્ષમાર્ગમાં, સદ્ગુરુની અનિવાર્યતા તેમ જ કૃપાનું માહાત્મ્ય દર્શાવતું એક કાવ્ય લખી મોકલાવે છે. તે પર ખૂબ જ વિચાર કરવા જેવો છે. તે આ પ્રમાણે છે : બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. XII Jain Education International બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. - ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમે, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. ૧ ૩ ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. -પ “તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.'’ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૬ શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ સંવત ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્ભુ રાળજ નિવૃત્તિ ક્ષેત્રે બિરાજમાન હતા. નિર્મળ અંતઃકરણ તથા જ્ઞાનોપયોગની તન્મયાત્મક એકાગ્રતામાં સ્થિર થયેલા શ્રીમદ્ભુએ આ ક્ષેત્રે ચાર ઉત્તમોત્તમ પદોની રચના કરી હતી. તેમાંનું તોટકછંદ શૈલીથી હિન્દી ભાષામાં લખાયેલું બીજજ્ઞાનનું માહાત્મ્ય તથા વર્ણન કરતું જે પદ (પત્રાંક : ૨૬૫)માં રચ્યું છે તે ખૂબ વિચારવું જરૂરી છે કારણ કેવળજ્ઞાનરૂપી વૃક્ષનું બીજ બોધબીજ છે અને તેનું બીજ આ બીજજ્ઞાન છે. For Personvate Use Only આમુખ www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy