SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મ00000000000000 વ દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે; વ રમણિશયન જેમ શ્રમ હરે, સુર નર સુખ તેમ છાજે રે. વીર. ૫ ભાવાર્થ સ્થિરા આદિ ચાર દૃષ્ટિમાં પ્રવર્તતા જીવને પોતે મોક્ષમાર્ગ 5 વા જે પ્રયાણ કર્યું તેમાં ભંગ થતો નથી. (પ્રારંભની જે ચાર દૃષ્ટિ છે વી તેમાં પ્રવર્તતો જીવ દર્શનથી ભ્રષ્ટ થાય તો સંસારમાં પરિભ્રમણ કરે વી છે, પરંતુ થાકેલા મુસાફરને જેમ રાત્રે ઊંઘ લેવાથી થાક ઊતરી | વી જાય છે. તેમ આ પાંચમી દષ્ટિમાં પહોંચી ગયેલો જીવ પુરુષાર્થ વા કરતાં આયુષ્ય પૂરું કરે તો બીજા ભવમાં ઉત્તમ દેવગતિ, મનુષ્યગતિનું લા સુખ પામે છે અને શુદ્ધ સમ્યગ્દર્શન સહિત હોવાથી ત્યાં પણ થી મોક્ષભાવનાને દૃઢ કરે છે. એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બોધ છે, તે તૃણગિનિસો લહીએ રે. વીર. ૬ વી ભાવાર્થ આટલી વાત પ્રસંગોચિત પ્રસ્તાવના રૂપે કહી હવે પહેલી વ દૃષ્ટિ કહું છું. આ પહેલી મિત્રા” દૃષ્ટિમાં વર્તતો જીવ જે બોધ પામે છે વી છે તેનું બળ ઘાસના - તૃણના અગ્નિ જેવું હોય છે. બોધની તાત્કાલિક વી અસર થાય. તેથી ભાવમાં એકદમ ઊભરો આવે પણ તે લાંબો વખત વી ટકે નહીં તેવો હોય છે. | વ્રત પણ યમ બહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર. ૭ ભાવાર્થ : આ દૃષ્ટિમાં પાંચ યમ-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, વી અપરિગ્રહ-વ્રતરૂપે ગ્રહણ કરાય છે. સારાં કાર્યો કરવામાં ખેદ નથી B વ થતો. બીજા પ્રત્યે દ્વેષ નથી થતો. આવા ગુણ જીવને શોભાવે છે. યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે. વીર. ૮ ouqUUUUUUUUU00000000000000 000000000004, ഫ ૭૮ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy