________________
મારા માટે સ્ફુરણાદાયક હતો. થોડા દિવસ તો વાંચ વાંચ કર્યો. ખૂબ જ આનંદ અનુભવ્યો. પછી જ્ઞાનસારમાંથી આપના લખેલા શ્લોક નંબર વાંચવા શરૂ કર્યા. જો કે પહેલાં ઘણા વખતથી સ્વાનુભવ જ વાંચતી હતી છતાં આ પ્રેરણા પછી તો ધ્યાન તથા પુરૂષાર્થમાં ઓર જ પ્રોગ્રેસ થયોછે અને ખૂબ જ આનંદમાં રહેવાય છે. તો શું તમે પૂછ્યા વિના તો નહીં જ કહો પણ એક જોતાં એ જ સાચું છે કે જે જેની યોગ્યતા પ્રમાણે દશા પરિપક્વ થયે તેના સ્વમુખે જ સરસ રીતે જ આવા પ્રશ્નો નીકળી જાય ત્યારે જ આપ યોગ્ય વખતે સૂચન-પ્રેરણા આપો છો. આપની પહેલેથી જ એ જ રીત છે, તે જ બરાબર છે. આ રીતના યોગ્ય વખતના, યોગ્ય જ્ઞાનવાર્તાના, યોગ્ય ધક્કા લગાવો છો, એવો મને પહેલેથી જ અનુભવ છે, થયેલ છે, એ સત્ય છે. આપની કૃપાથી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જરૂ૨ પહોંચી જવાશે.
જ
ܐܩܩܩܩܩܩܩܩܩܩܩܐ
ઉધરસની હોમીયોપેથીક દવા નિયમિત લેશો. જેથી વધુ પડતી ઉધરસ કે કફ થાય નહીં. પૂ. બા મઝામાં હશે. હવે સારૂં હશે. દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે.
આત્માર્થી, મુમુક્ષુ, પરમ મુમુક્ષુ ભાઈબહેનોને વંદન. મિનલ મઝામાં છે. આરામ લે છે રોહિત તથા સી. યુ. શાહ મદ્રાસથી આવી ગયા છે.
ચિં. દિપકના લગ્ન નિમિત્તે મુંબઈ આવવાનો આગ્રહ કરવા ખાસ સૂચન માટે શુભીબેનનો ફોન હતો. આપ આવશો તો જરૂ૨ અમોને આનંદ આવશે થશે.
આશ્રમનું કામકાજ બરાબર ચાલતું હશે.
આત્માર્થી લવચંદભાઈનું સમાધિમરણ થયું - હજી સુધી મારાથી જવાયું નથી.
લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
૨૮૬
Jain Education International
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org