SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 0000 આપના મુંબઈના ૩૩ દિવસના સ્વાધ્યાય દરમ્યાનના એ પરમ સત્સંગમાં મને અનેરો ઉલ્લાસ આવતો હતો, અને ખૂબ જ મઝા આવી હતી. ટાઈમ કેમ પસાર થઈ જાય, ખબર જ ન પડે એ બધો સ્વાધ્યાય હું મુંબઈ Regular કરતી હોવાથી આપ વાંચો ત્યારે સ્પષ્ટ મોઢે જેવું જ થઈ જાય ને યથાર્થ સમજાઈ જાય. આપની સૂચના મુજબ આંક ૭૧૦ મેં તથા મિનલે વાંચ્યો. જો કે એ તો મને મોઢે જેવો જ છે કારણ ઘણા વર્ષથી એ મને ખૂબ ગમતો અને મેં મારી ડાયરીમાં અણસમજણમાં લખ્યો છે અને પછી છેલ્લા મારી લાંબી નોટબુકમાં તો પહેલે જ પાને લખ્યો છે કે જેથી પહેલાં એના જ તરફ નજર જાય. પણ હવે એ વાંચવાનો કે મોઢે કરવાનો નથી, અનુભવવાનો છે ને એ સ્ટેજ પણ હું ક્યારનીએ વટાવી ગઈ છું અને આપના લખવા મુજબ હમણાં ફરીથી દરેકે દરેક વાક્ય અનુભવ સાથે મળે છે. ખૂબ ગમે છે. મારી જિંદગીમાં મને એક પરમાર્થ અને Medicine એટલું જ વધારે ગમે છે, બાકી બધું જ ગૌણ. હવે તો Medicine કરતાં પણ પરમાર્થ ચઢી જાય. આંક ૭૧૦-આ આંક પરથી આપણે ક્યાં છે એ પણ ખબર પડે અને હવે શું કરવાનું છે -“તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપ લાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે, કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે... કેવળજ્ઞાન છે.” આ બધી જ દશા સહજ, સ્થિરતા માટે હું આપને જ ધન્યવાદ આપું છું, બીજા રામ કે મહાવી૨નો બોધ આપે જ આપ્યો છે. હવે બધું જ પાછું routine પ્રમાણે થઈ ગયું છે. του ૨૪૪ Jain Education International વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy