________________
000000000000 સંગ્રામના મોખરા ઉપર રહેલા મદોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી.
ܩܩܘ
તત્ત્વદષ્ટિ-સ્કુરાયમાન, કરૂણામય, અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદષ્ટિ પુરૂષો વિકારને માટે નહીં પણ વિશ્વના ઉપકારને માટે ઉત્પન્ન થાય છે. જે તૃણની પેઠે ધન-ધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહ ત્યજી ઉદાસીન થઈ રહે છે, તેના ચરણકમલ ત્રણ જગત સેવે છે.
જેમ પાળને નાશ કરવાથી સરોવરનું સઘળું પાણી ક્ષણવારમાં ચાલ્યું જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ કરવાથી સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે, જે મૂર્છાથી રહિત અને ચિન્માત્ર-જ્ઞાન- માત્રમાં આસક્ત છે એવા યોગીને પુગલનું બંધન શું હોય ? જ્ઞાનમાત્રનો દિપક (અપ્રમત્તસાધુ) નિર્વાત સ્થાન સમાન ધર્મોપક૨ણોએ ક૨ીને નિષ્પરિગ્રહપણાની સ્થિરતાને એટલે જ્ઞાનદિપકને તૈલ સમાન યુક્તાહાર જેમ આધાર છે, તેમ નિર્વાતસ્થાનતુલ્ય ધર્મોપકરણ વડે આધા૨ છે એમ જાણવું.
પર્યુષણ નિમિત્તે જેને જોગ હશે તેઓ આત્માર્થી, પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈ-બહેનો આવી ગયા હશે. પરમ સત્સંગનો લાભ મળશે. મારી યાદી આપશો.
પૂ. બા. દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે, મિનલ હવે ધ્યાનમાં (આત્મામાં) રહે છે. તરંગમાંથી બહાર આવી ગઈ છે, વાંચવાનું વગેરે ચાલે છે.
લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૨૧૫
www.jainelibrary.org