________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
υπ
૨
૨. દોહરા
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય, શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.
જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણહેતુ.
૩. કાળ કોઈને નહિ મૂકે (હરિગીત)
મોતીતણી માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી, બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૧ મણિમય મુગટ માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી, કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૨
૧૫મા વર્ષે : મોરબી
Jain Education International
દશ આંગળીમાં માંગલિક, મુદ્રા જડિત માણિકયથી, જે પરમ પ્રેમે પે'રતા, પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી, ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૩
મૂછ વાંકડી કરી ફાંકડા થઇ, લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા, હરકોઇનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા, છટક્યા તજી સહુ સોઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૪
on
III વીર-રાજપથદર્શની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org