________________
કથા
છો ખંડના અધિરાજ જે, ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઇને, ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્ર ચાલિયા, હોતા નહોતા હોઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૫ જે રાજનીતિ નિપુણતામાં, ન્યાયવંતા નીવડયા, અવળા કર્યો જેના બધા, સવળા સદા પાસા પડયા; એ ભાગ્યશાળી ભાગિયા તે, ખટપટો સૌ ખોઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. ૭ તરવાર બહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખીયા, હાથી હણે હાથે કરી એ, કેશરી સમ દેખિયા એવા ભલા ભડવીર તે, અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૭.
૧૫મા વર્ષે વવાણીયા ૪. ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું! ૧ મોહ, માન મોડવાને, ફેલપણું ફોડવાને,
જાળફંદ તોડવાને, હેતે નિજ હાથથી; *
*| પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* Uouvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
|
3
|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org