________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܘ
૨૪મા વર્ષમાં સોભાગભાઈ પર લખેલા પત્રો તેમની દશા વર્ણવે છે. તેમની દશા ઘણી જ અદ્ભુત, ઉંચી, નિર્વિકલ્પ સમાધિ જેવી થતી જાય છે. એમાં કદાચ અત્રે અંશે હશે.
૨૪૧- “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે, તેજ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે, એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહિ. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે !”
૨૪૪- કૃપાળુદેવની અદ્ભુત દશા “પર બ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ સ્ફુરી નીકળે છે. અને કંઈની કંઈ (અભેદ) વાત (એટલે શું ?) સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી, અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઇએ, એવો વ્યવહાર માર્ગ છે, પણ અમને
આ ૫૨માર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી.” આવી કૃપાળુદેવની દશા-ઘણી ઝડપથી વધતી જાય છે. અમારો Slow progress છે.
આંક ૨૪૭-કૃપાળુ દેવની દશા-“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહા૨ના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ” (અમને અંશે એવું જ છે એમાં રૂચિ નથી.) “અત્યારે તો બધું ય ગમે છે અને બધું ય ગમતું નથી, એવી સ્થિતિ છે.” અમને પણ એમ થાય છે, અહીંયાનું બધું મૂકી સત્પુરુષના ચરણમાં ભાગી જવું, પણ એ શક્ય નથી. હરિ ઇચ્છા.
“જે ૨સ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થયા પછી હિર પ્રત્યે અતિશય લય થઈ છે, અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ... આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વર
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org