SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ܩܩܩܩܘܪܩܩܩܩܩܩܩ ગુરુગમ ઉપર જ છે. અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે એ મહિની મટુકી છે અને આદિપુરુષ (આત્મા, વાસુદેવ) તેમાં બિરાજમાન છે તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને (અમને પણ એમ થાય છે) થતાં તે ઉલ્લાસમાં આવી જઈ કોઈ મુમુક્ષુ પ્રત્યે “કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષ (આત્મા)ની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશુંય પ્રાપ્ત ક૨વા યોગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરો. (અમને એવો જ ઉલ્લાસ બીજાને કહેવાનો આવે છે. આપે કહેલું કે આપણું કામ કરી ચાલ્યા જવું). અમૃતરૂપ વાસુદેવ (અહિંયા સુ.) ભગવાન જ મહિ નીકળે છે, એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્દભુત ભક્તિ ગાઈ છે. ૫૨મ આનંદ છે. પરમ સત્સંગની અત્ર ખામી છે. વિશેષ આપની કૃપાદૃષ્ટિ- એ જ. જ આંક ૨૧૨-સત્પુરુષની જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયા હોય છે. (આવું જ થાય છે). આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે પણ હજુ સ્વરૂપમાં જોઇએ તેટલું સ્થિર વધારે વખત રહેવાતું નથી. આખો દિવસ બીજું કાંઈ પણ કરતા લક્ષ-ધ્યાન એમાં જ હોય છે પણ સંતોષ થતો નથી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે”ને શુદ્ધતામાં સ્થિર રહે તો આત્મા પ્રગટ થાય. (ગુરુગમ જ છે). COTTON આધ્યાત્મિક પત્રવ્યવહાર Jain Education International For Personal & Private Use Only ૧૬૩ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy