SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ܩܩܩܩܩ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે.” જીવે શું કરવું તે આમા આવી જાય છે. સાગરમાં આજે આંક ૨૦૧ વંચાયો છે. તેમાં કૃપાળુ દેવ લખે છે કે - “આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણાં દિવસ થયા ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી, એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે, અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવાન વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી.” આંક ૯૦૨-જડ ને ચૈતન્ય-એ આખું કાવ્ય ભેદજ્ઞાનનું છે. “દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, "" ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” ΠΙ આધ્યાત્મિક પત્રવ્યવહાર Jain Education International For Personal & Private Use Only ૧૫૭ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy