________________
૭ ૧૮
પરમ મુમુક્ષુ બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૭/૧નો પત્ર તા. ૨૮-૧-૭૯ એ મળ્યો. વાંચી ચાર પેઇજ લખતાં કેટલો વખત થયેલ હશે ! એમ તેની અંદર પરમ કૃપાળુ શ્રી કાળીદાસભાઈના પત્રની હકીકત મુદ્દાસર બતાવેલી છે તે વાંચી જોતા આનંદ થયો. કારણકે તે બરાબર છે, કારણ તમોને અનુભવમાં પ્રગતિ થઈ અને શીતળતા અને આનંદ આવે છે. અતિ નિશ્ચય આનંદ કોને કહેવાય ! તે લક્ષ થતાં હવે તે ભેદજ્ઞાનનો પીરીયડ, વખત જાય તેમ વધા૨વો જોઇએ.
સાયલા, તા. ૧-૨-૭૯
11 30 11
| સહજાત્મ સ્વરૂપાય નમઃ ।
૫. મુ. પરસોતમ દોશી અહીંના અમલનેર અને જલગાવ રહેતા. પરંતુ તેમની સમજણ વેદાંત પ્રમાણે હતી. તેમને શ્રદ્ધા હકા બાપા જે ચોટીલાના ભક્ત હતા તેના પર હતી. એટલે પૂ. કાળીદાસભાઈએ વેદાંતમાં શ્રદ્ધા હોય તેને જૈન યથાર્થ બોધની સમજણ થાય તેવી ગામઠી ભાષામાં પત્ર લખેલ છે. પરંતુ તેથી તમારી આંખ સંપૂર્ણ ખોલી નાખી તેમ લખ્યું તે જાણી પરમ સંતોષ થાય છે. તમારી ઝંખના અને મહેનત, સમજણ-ખરેખર દાદ માંગી લે તેવી છે.
του
આંક ૫૮૫
“જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે, તે જિન વીરે રે, ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે,”
તે પણ વાંચશો.
G
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૧૪૩
www.jainelibrary.org