________________
00000000000000000000000000
જાગૃતિ હોવાથી શુદ્ધ ઉપયોગ, જે જ્ઞાન સ્વરૂપ છે તે શેયના પ્રતિભાષથી શેયરૂપ ઉપયોગ નહીં થતાં આત્માનો ઉપયોગ જ્ઞાનરૂપ જ પરિણમે તે પુરુષ અપ્રમત્ત કહેવાય છે.
મૂળમાર્ગમાં સમકિતની જ વાત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર જુદા જુદા સમજવા જુદા પાડેલ છે. એ ત્રણે સાથે (અભેદ) જ હોય છે.
મહાપુરુષો ડગલે ને પગલે સદ્ગુરુનો લક્ષ કરાવે છે. સદ્ગુરુ એ જ દેહધારી પરમાત્મા, તેમના ઉપર પ્રેમ વધારવો કારણ કે તેઓ શુદ્ધ આત્મારૂપ જ છે. તેમનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે. તેમની ભક્તિ (પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા)થી આપણા દોષ ટળે છે અને જીવને હમેશાં ઉત્સાહ વધતો જાય છે. શિથિલપણું આવતું નથી. તેમ કરતાં જ્યાં જ્ઞાનનો અનુભવ-સ્વરૂપ પ્રતીત થાય છે ત્યારે તે મુંઝવણ ટળે છે. પણ તેમ ન થાય ત્યાં સુધી તો સત્પુરુષોનો અને તેમના વચનને દૃઢ વિશ્વાસથી પ્રયત્ન કરવો ઘટે છે. તે કર્યા વિના નિશ્ચય જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. સુ-રસ પીવાય છે. મોટું થવાયછે.
આ પ્રમાણે કાળીદાસભાઈના પત્રો હું સમજી છું. આપશ્રી વાંચી જોજો. લાંબો છે પણ મને બંને વસ્તુનો ખ્યાલ આવી ગયો છે.
Mr. Shah મદ્રાસ ગયા છે. ૩૧મી જાન્યુ. Eye Hospital opening બંધ રહેલ છે. માજીને બ્લડપ્રેસર વધી ગયું છે. છાતીમાં થોડો દુઃખાવો થાય છે. સાંજે Heart Specialist બોલાવ્યા છે. મારા બાને ઠીક છે.
આપનો શું પ્રોગ્રામ છે તે જણાવશો. પૂ. આ. શાન્તિભાઈ આવીગયા હશે. એમણે પણ કાલિદાસભાઈના પત્રો સમજાવ્યા હતા. તે પછી મેં પોતે વાંચ્યા હતા.
પૂ. બા, દિલીપભાઈ, ભાભી બધા મઝામાં હશે.
૧૪૨
Jain Education International
•
સદ્ગુણાના પ્રણામ
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org